________________
કરુણાથી અને શાસ્ત્રોના આધારથી સનાતન સત્યો દ્વારા આત્મપ્રાપ્તિનો સરળ માર્ગ દર્શાવેલ છે. કેટલાંય આગમો વાંચતા, પુસ્તકો વાંચતા, વ્યાખ્યાનો સાંભળતા મનમાં કેટલાંય પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે, કોઈવાર અનેક મતોને કારણે મૂળ સિધ્ધાંત ભૂલાય અને વિષયાંતર તથા વિવાદોમાં મુખ્ય વાત અને સમજ વિસારે પડી જાય છે. લેખકનો આ એક ઉત્તમ પ્રયાસ છે કે આ વિસ્વનો દરેક જીવ, કેવી રીતે સુખી થાય તેના શાસ્વતા સિધ્ધાંતોને તેમણે ટૂંકી, સરળ અને સુગમ ભાષામાં આપણને પિરસ્યા છે.
એવી એક અંગ્રેજી કહેવત છે કે સફળ વ્યક્તિ કાંઇ નવું નથી કરતી, જે પાયાના નિયમો છે અને સિધ્ધાંતો છે તેને જ નિયમિત રીતે પોતાના જીવનમાં ઉતારી તે સફળ બની જાય. છે; તે ન્યાયે, આપણે આ સુખી થવાની ચાવીની સનાતન વાતો જીવનમાં વણી લઈએ અને ભવોભવના આંટા ટાળી દઈએ. ભગવાન કૃપાએ અને લેખકની અસીમ કૃપા, કરુણા અને આપણા અહોભાગ્યથી આપણને તે ભવોભવના ચક્રવ્યુહને ભેદવાની સાદી-સરળ ચાવી, અદના (સામાન્ય) માણસ (COMMON MAN) ને પણ સમજાય તેવી ભાષા અને શૈલીમાં પ્રાપ્ત થઈ છે. તેમનો આ પ્રયત્ન ત્યારે જ સફળ થયો ગણાશે
Iv જ સુખી થવાની ચાવી