SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય ત્યાં સુધી પોતાની ગતિ સંસાર તરફની સમજવી અને જયારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. માટે તે માટેનો પુરુષાર્થ વધારવો. તમને શું ગમે છે? આ છે તમારી ભકિતનું બેરોમીટર. અર્થાત્ ભક્તિમાર્ગની વ્યાખ્યા એ છે કે જે આપને ગમે છે, તે તરફ આપની સહજ ભક્તિ સમજવી. ભક્તિમાર્ગ એટલે વેવલાવેડાંરુપ અથવા વ્યક્તિરાગરુપ ભક્તિ ન સમજવી, પરંતુ જે આપને ગમે છે અર્થાત્ જેમાં આપની રુચિ છે તે તરફ જ આપની પૂર્ણ શકિત કામે લાગે છે; તેથી જેને આત્માની રુચિ જાગી છે અને માત્ર તેનો જ વિચાર આવે છે, તેની પ્રાપ્તિના જ ઉપાયો વિચારાય છે, તો સમજવું કે મારી ભક્તિ યથાર્થ છે અર્થાત્ હું સાચા ભક્તિમાર્ગે છું. અર્થાત્ જયાં સુધી તમને શું ગમે છે તેના ઉત્તરમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા/આકાંક્ષા હોય અથવા કોઈ વ્યક્તિ હોય ત્યાં સુધી પોતાની ભક્તિ સંસાર તરફની સમજવી અને જયારે ઉત્તર- એક માત્ર આત્મપ્રાપ્તિ, એવો હોય તો સમજવું કે આપના સંસારનો કિનારો બહુ નજીક આવી ગયેલ છે. અર્થાત્ ભક્તિ એટલે સંવેગ સમજવો કે નિત્ય ચિંતન કણિકાઓ ૪૧
SR No.009206
Book TitleSukhi Thavani Chavi
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherJayesh Mohanlal Sheth
Publication Year2014
Total Pages59
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy