________________
મુખથી જ્ઞાન કથેઅને અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.
૧૩૭
દયા શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.
૧૩૮
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત.
૧૩૯
સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.
૧૪૦
સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.
૧૪૧
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણીત.
૧૪૨
(શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરૂવાર, વિ.સં. ૧૯૫૨)
(અંગ્રેજી વર્ષ ૧૮૯૬)
90
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન