________________
આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞાસમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન
૧૨૯
જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ
૧૩૦
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નો’ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.
૧૩૧
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.
૧૩૨
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહી નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર.
૧૩૩
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય.
૧૩૪
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય
૧૩૫
ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત.
૧૩૬
૬૮
તત્ત્વચિંતન અને સમ્યગદર્શન