SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રેરણા કાકા કરવા ' T F T પાન કરHTTY INTER અહો ! ધન્ય છે આ વનક્ષેત્ર ભૂમિ ! જ્યાં પ્રત્યક્ષ સન્દુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવ પરમાત્મા અદ્ભુત જોગીન્દ્ર પરમ શાંત સ્વરૂપે બિરાજ્યા ! પરમકૃપાળુદેવની આજ્ઞાની ઉપાસનાથી જેણે નિજ શુદ્ધ આત્માસ્વરૂપ પ્રગટ અનુભવ્યું, તે “સંત’ – શ્રી લઘુરાજ સ્વામી, પરમઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી એ પરમાર્થનો ધોરી માર્ગ પ્રગટ કરતા જણાવ્યું કે : પરમકૃપાળુદેવની શ્રદ્ધા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે અને પ્રતિજ્ઞા લેવડાવી કે “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે.” આખો વીતરાગ માર્ગ, જે સ્વરૂપ પ્રાણી માટે છે, તે આ અપૂર્વ પ્રતિજ્ઞાથી પ્રગટ થયો. પરમકૃપાળુદેવની ભક્તિ પ્રભુશ્રીજીની આજ્ઞાથી શરૂ થતાં જ “ભક્તિયુગ” નો ઉદય થયો. જે મહાભાગ્યવાન મુમુક્ષુઓ પ્રભુશ્રીજીની નિશ્રામાં તે ભક્તિથી રંગાયેલા, તેઓએ પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર ભક્તિ માર્ગ પ્રગટ રહે તે હેતુથી “વિનયોપાસના” પુસ્તકની રચના કરી. પ્રસ્તુત પુસ્તકનો ક્રમ વનક્ષેત્રે થતી ભક્તિને અનુલક્ષિને મૂકવામાં આવ્યો છે, તથા પરમકૃપાળુદેવના અમૂલ્ય વચનામૃત, પ્રભુશ્રીજીના પરમાર્થ પ્રેરક ઉપદેશામૃત અને અન્ય ભક્તિ પદો આ પુસ્તકમાં વિશેષપણે સમાવેશ કરવામાં આવ્યા છે. પ્રભુ પ્રેરણાથી પ્રસિદ્ધ આ “વિનયોપાસના” પુસ્તક આત્માર્થી મુમુક્ષુઓના કરકમળમાં અર્પિત કરતા અતિ આનંદ ઉલ્લસે છે. ચૈત્ર વદ ૫ સં. ૨૦૬૧ તા. ૨૮-૪-૨૦૦૫, ગુરુવાર શ્રીમદ્ રાજચંદ્ર આરાધક મંડળ ‘વનક્ષેત્ર”
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy