________________
(૨૩)
જિનવર કહે છે (હરિગીત)
જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે. જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જિનવર કહે છે. જ્ઞાન તેને,
રાળજ, ભાદ્રપદ, ૧૯૪૭
આ જીવ ને આ દેહ એવો, પચખાણ કીધાં ત્યાં સુધી, એ પાંચમે અંગે કહ્યો, જિનવર કહે છે જ્ઞાન તેને,
જ્ઞાન નહિ કવિચાતુરી, જ્ઞાન નહિ ભાષા ઠરી; જ્ઞાન જ્ઞાનીમાં કળો, સર્વ ભવ્યો સાંભળો.
ભેદ જો ભાસ્યો નહીં, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; ઉપદેશ કેવળ નિર્મળો, સર્વ ભવ્યો સાંભળો.
કેવળ નહીં બ્રહ્મચર્યથી,. કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.
૧
૩
૪
૫
#33/3165/7/
5 કે
1