________________
(૧૫) એકત્વભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ-આત્મ પોતે; એકત્વ એથી નયસુજ્ઞ ગોતે.
(શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી; બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું; એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
અન્યત્વભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહીયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતિ ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે ! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના,
દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા; છાંડી રાજ સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા; જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા