________________
wfr
, NITIN"
(૪૧૪)
-
"
*
***
*
૧૧
અમે તો ખપાવીએ છીએ, ને તું સ્વપ્નદશામાં છે ! ૩૦/૮/૩૫ પર્યુષણ. મહાવીર ભગવાનનો જન્મ દિવસ
શ્રી બપોરે નીચે પધાર્યા સભામાં જન્મનું વૃત્તાંત સાંભળી તેઓ શ્રીની આંખમાંથી ઘણાં આંસું નીકળ્યાં. કંઈ બોલ્યા નહીં. ઊઠી ઉપર ગયા. સારદાબહેન પંડિતે પૂછેલો તે ખુલાસો :સા - આજે શું થયું હતું ? શ્રી - કયાં ? સા - દેરાસરમાં (શ્રી થોડીવાર મૌન રહ્યા)
આપને દયા આવી હશે. મહાવીરસ્વામીને ગર્ભમાં દયા આવી હતી તેવી આપને દયા આવી હશે, કારણકે આ બધું ખોટું છે, માયા છે ને વિનાશી છે. - તેને માટે આટલું દુઃખ જોઈને
આપને રડવું આવ્યું હશે. શ્રી - તને કેમ ખબર પડી ? સા - આપનો દેહ ને આત્મા જુદો છે તેવું મને લાગે છે તેથી ખબર
પડી. . - આવું બોલવાનું તને ક્યાંથી આવડ્યું ? સા - મારા અનુભવથી લાગ્યું, તેથી બોલી. શ્રી થોડી વાર મૌન
રહ્યા. શ્રી - અમારે તો રડવું અમારે માટે થાય છે. મોહને માટે. સા - તમારે મોહ શાનો.
અમારે કેટલા બધા કર્મ બાંધેલા છે ! આ તો કૃપાળુની કૃપા છે તેથી આજ્ઞા બરોબર પાળી છે ત્યારે આજે અમે દશાથી જાણી શકીએ છીએ. અમે કર્મ જોઈ શકીએ છીએ. તને કશી ખબર છે? તું તો સ્વપનામાં છે. હજું ક્યાં સુધી દેહમાં જ ભાવ રહેશે ? આત્મા, આત્મા ને આત્મા ક્યારે જોવાશે ? અરેરે, જાણે છે કેટલાં પાપના પોટલા ભેગા થયા છે ? અમે