________________
(૩૪૯) પત્ર ૧૪૩
વવાણિયા, બી, ભાદરવા વદ ૧૩, શનિ, ૧૯૪૬ નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો:
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના, કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સત્પષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો.
એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. અધિક શું કહું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂછ્યું હશે - (સૂર્યું છે).
હવે જેમ તમને યોગ્ય લાગે તેમ કરો. એ બધાની તમારી ઈચ્છા છે, તોપણ અધિક ઈચ્છો; ઉતાવળ ન કરો. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને કચાશ તેટલી ખટાશ; આ અપેક્ષિત કથનનું સ્મરણ કરો.
પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથા ૦
- htવ4 4રન ા #
—-
-*--
:
a t