________________
(૩૫)
“જ્ઞાન-ભક્તિ-ક્રિયા” “શ્રી સ્યાદ્વાદરત્નથી વિભૂષિત વીતરાગ માર્ગે ગમનાભિલાષીને જ્ઞાન અને ભક્તિ કે ક્રિયા એ મુખ્ય ઉપાસનાનાં અંગ છે. વસ્તુતઃ જ્ઞાન અને ભક્તિ કે ક્રિયામાં ભેદ નથી. માત્ર સાધનની અપેક્ષાએ એ ભેદ દર્શાવાય છે. સાધ્ય એક આત્મસ્વરૂપ છે. તેના સાધન પણ એક જાતિનાં હોય પણ તે સાધનના વ્યવહારે ભેદ પાડી જ્ઞાન, ભક્તિ, ક્રિયા આદિ નામો અપાય છે. વસ્તુતઃ તે સર્વે આત્મિક ગુણો છે......”
જ્ઞાની પુરુષોનાં વચનામૃતોનું વારંવાર વાંચન, નિદિધ્યાસન અને તેને અંતરમાં વણી લેવાં, તદ્રુપ યથાર્થ સમજણ કરવી અને તે પ્રમાણે પરિણામની પરિણતિ થવી એ જ્ઞાન, ભક્તિ કે ક્રિયા છે.”
ગુરૂગમ સંબંધી
- તા, ૨૪-૧૧-૩૫ સત્સંગમાં શું થાય છે! ભાવ વધે છે. અત્યારે ભાવ હોતો નથી. આત્મા છે. પણ તેનું ભાન નથી.
ગુરુગમ-વાત છે માન્યાની. જ્ઞાનીએ જોયું તે કહ્યું છે. માત્ર પ્રતીતિ
નથી.
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન” અત્યારે શું થઈ રહ્યું છે? વિકલ્પ - તે કર્મ છે તેવું માનવું છે.
જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાઈ
મીટે કલ્પના જલ્પના, તબ વસ્તુ તિન પાઈ” કલ્પનાએ ભૂંડું કર્યું છે. આત્મા નથી ત્યાં આત્મા માન્યો છે. આત્મા છે. પણ તેનું ભાન નથી, પછી ભાવ કેવી રીતે આવે !
સત્સંગમાં આત્મા સામો દેખાય છે, દેખાય છે તેથી તેનો ભાવ આવે છે, તેથી કહ્યું છે :- સત્સંગમાં ભાવ વધે છે.
કલ્પના = આત્મા નથી ત્યાં આત્મા માન્યો છે. કલ્પના ટાળવાનો ઉપાય-ગુરુગમ