SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૮) પણ જાણતો નથી પરંતુ આ જે કહે છે તે જ સત્ય છે અને તે જ આજ્ઞા માન્ય હો’’ એમ તૈયારી કરી રાખવી. સમયે, સમયે જીવ મરી રહ્યો છે માટે સમયમાત્રનો પ્રમાદ ન કરતાં ‘‘સમય ગોયમ મા પમાયે'' એ વાક્ય યાદ રાખીને સમયે સમયે આજ્ઞામાં પરિણામ દઢ કરવાં. ‘‘મારું તો પુરાણપુરુષ કૃપાળુદેવે જે કહ્યું છે તે એક માત્ર સહજાત્મસ્વરૂપ જ છે, અન્ય કંઈ મારું નથી.’’ અંતરાત્માથી પરમાત્માને ભજાય છે માટે અંતરથી (અંતર આત્મા થઈ પરમાત્મામાં જેને દઢ સત્ય શ્રદ્ધા છે તે અંતરઆત્મા છે) દઢ શ્રદ્ધા રાખીને આજ્ઞા ઉપાસવી. આ સંજોગસંબંધ, સ્ત્રી, પુત્ર, માતા, પિતા, ભાઈ આદિ સર્વ પર્યાય છે, કર્મજન્ય પૌદ્ગલિક ને વિભાવિક પર્યાય છે અને તે નાશવંત છે માટે તે કંઈ મારા નથી. મારા તો એક ‘“સત્સ્વરૂપી’’ કૃપાળુદેવ છે અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જ છે. તે આત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે આદિ છ પદને કૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. ‘‘એ મારો છે’’ એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી અને ભાવના ભાવવી કે : = ‘‘હું મરણ સમયે આજ્ઞા જ માનીશ બીજું કંઈ નહિ માનું’” અને એમ માનવાથી, તે જ માન્યતા રહેવાથી, તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે “જ્ઞાન, દર્શન, ચારિત્રમય સહાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે’’ એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ. અમારી સાક્ષીયુક્ત થયું. એક ચક્રવર્તી રાજા હોય તો તે જીતી શકવો અઘરો છે તો આ તો ચાર ચક્રવર્તી, ક્રોધ, માન, માયા, લોભરૂપ રાજ ચલાવી રહ્યાં છે. તે કષાય અને વિષયરૂપી, કર્મરૂપી રાજાની અનીતિ સામે ખરો સત્યાગ્રહ કરવાનો છે અને તે ‘‘વિષયકષાયથી જીંદું, મારું સ્વરૂપ તો પ.કૃ.દેવે જે કહ્યું છે તે આજ્ઞા સહજાત્મસ્વરૂપ જ છે’’ એમ સમયે સમયે દઢ શ્રદ્ધાપૂર્વક વર્તવું અને તેમ કરતાં જે કંઈ આવે તે સહન કરવું. સહનશીલતાનો માર્ગ છે અને એ પ્રકારનો સત્યાગ્રહ
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy