________________
(૨૮૯)
વજની ભીંત જીવનું ભંડુ કરનાર પ્રમાદને કષાય. પાંચ ઇંદ્રિયના વિષયથી થયું. ભૂંડું એ પુદ્ગલ કરે છે, પર છે. આ તો સંબંધ છે, પુદગલ છે. કાંઈ ચૈતન્ય નથી. જડ તે જડ, ચૈતન્ય તે ચૈતન્ય. વસ્તુતા એ એક આત્મા છે. આ બધો ભોગવટો પુદ્ગલનો – સત્તા આત્માની. મારું મારું ભલે કહે, પણ પુદ્ગલ; વીતરાગ માર્ગ કહે છે- આ તું નહીં. તું જુદો છે. આત્માને જડ એક નહીં દેહ જડ છે. એક સત્તા આત્માની. આત્મા વગર કોઈ જાણે તો મીંડુ માનજો. જડ ચેતન ન થાય. ચેતન જડ ન થાય. જ્ઞાનીપુરુષના અનુભવની વાત તે છે. ખરેખરી, સત્સંગ કરવો જોઈએ. તેના જેવું કોઈએ હિત કર્યું નથી. સત્સંગ ત્યાં બોધ. તે આત્માને અમૃત અને હિત કરે. કોડી કર્મ ખપે. વિશ્વાસને પ્રતીતિ થાય. આ તે કંઈ જેમ તેમ છે ? નહીં તો સહેજમાં વાતચીતમાં કોટી કરમ બંધાય. વાત અજબ ગજબ છે. આ વગર બીજો કોઈ રસ્તો પકડશો નહીં. ઢુંઢીયા, તપા, સ્ત્રી, પુરુષ, નાનો, મોટો, જુવાન કોઈ નથી. આ તો સંજોગ ને દેખાવ. આત્મા નહીં. હું સાજો, હું માંદો, પૈસાવાળો, એ બધા સંજોગ. કંઈ નહીં. તમારે તો મૂળ વસ્તુ જ હોય. જ્ઞાન દર્શન ને ચારિત્ર. કોઈની બીજી વાત માનીશ નહીં. કર્તવ્ય તો આત્માનું જ છે, તેથી તેને લાભ હોય. આ છ બધું કર્યું છે. જ્ઞાનીના વચનની શંકા અથવા સંશય ન રાખ.
“જે સંસારની ઈચ્છા થતી હોય તો જ્ઞાનીના દર્શન કર્યા નથી)...” હું કંઈ જ જાણું નહીં. શાસ્ત્ર તે કંઈ હું જાણું નહીં. તે તો જ્ઞાની જાણે ને તેણે કહ્યું તે માન્ય. સત્સંગમાં લાભ હોય. સારી હવામાં સારો વા વાય. દુર્ગધમાં ગંધ, મળ, મૂત્ર, તેમ આ જગત પણ છે. મા, દીકરા, કાકા, મામા, સર્વ દુર્ગધ છે. એક સમજ બાકી છે. હવે તો મૂકવાનું છે. છેવટનું જ્ઞાની કહે છે. “મૂકી દો!” અપ્રતિબંધ, અસંગ થા, જે પ્રારબ્ધનું છે તે મૂકવા માટે છે, તારું નહીં. જીવ અવળુ સમજ્યો. ખોટું ન માન. અમે (જ્ઞાની) કહીએ તે સમજ. એવું સમજવાનું છે. એવું શું સમજવું ? જીવે બધું કર્યું છે. એક બાકી છે. (સત્સંગ ને બોધ) જ્ઞાની કહે છે “મૃત્યુ” તે “મહોત્સવ” છે. માંદો છે, મોત છે તે ખોટું છે. મોત મહોત્સવ છે, તે ખરું છે. એ તો બાંધેલું મુકાય છે. સમાજની ફેર. દુનિયા