________________
(૨૮૭) આબુ બોધ
૨૮.૩,૩૫ (શુક્રવાર ફા. વ, ૯, ૧૯૮૧)
આજે શુક્રવાર છે. નવમ છે. એમ કહી એકાંતમાં કહ્યું...જે કહું છું તે સામાન્ય કરતા નહી–“વાત છે માન્યાની”
શ્રીજીએ શ્રીને એમ કહ્યું હતું. જ્ઞાનીનું કહેલું કહેવાય છે. મોક્ષનો રસ્તો આ છે “વાત છે માન્યાની'...પછી ઘણું કહ્યું.
કહ્યું છે તે કંઠી બાંધી કહો કે કાન ક્યા કહો-કોઈને ઉપદેશ આપવો નહીં. એમ કહી ઘણું વિસ્તારથી સમજાવ્યું. - જન્મ નવો થયો ગણવો-મરીને જીવતા થવાનું તે આ. આત્મા જેવો. બીજું જોયું તો આશ્રવ. આશ્રવમાં સંવર તે આમ છે.
રાત્રે પત્ર ૬૬૪-સ્વરૂપને વિષે સ્થિતી થવી તેને પરમાર્થ સંયમ કહ્યો છે. વાણીયો છું તેવું માન્ય કર્યું ત્યારથી વાણીયો મનાય છે તેમ “આત્મા છું” તેવું માન્યાથી આત્મામાં સ્થિતી ગણાય કે નહીં ?
બ્ર શીતલપ્રસાદજી સમયસાર વાંચતા :આત્મામાં રોગ, મૃત્યુ, દિગંબરીપણું નથી.
શ્રી :- કેટલું ધન ? કેટલી કમાણી ? આત્મા આત્મામાં છે, કર્મ કર્મમાં છે. સોનું ગમે તેટલું તપે પણ સોનું તે સોનું છે, તેમ ગમે તેટલા ઉપસર્ગ આવે પણ આત્મા તે આત્મા છે. સંબંધથી વેદના ગણાય, પણ સંબંધ તે સંબંધ છે.
ભાવ, ઉપયોગ (આત્મા જેવાય, ભાવ આત્મામાં રહે પછી ગાવાનું છે “થાવું હોય તે થાજો, રૂડા રાજને ભજીએ”)-બધી પંચાત મૂકી દોહવે શું છે ?