SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૭) પ્રત્યક્ષ સપુરુષનું મહાભ્ય ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવના વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યો છd, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે શ્રી તીર્થંકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીયે છીયે.'' શ્રીમદ્ રાજચંદ્ર - ઉદ્દેશ जिणाणाय कुणताणं सव्वंपि मोक्खकारणं । सुंदरंपि सबुद्धिए सव्वं भवणिबंधणं ।। (ભાવાર્થ :- જીનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે, તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ-સ્વમતિ-કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર ध्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदम् । मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ।। પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદ્દગુરુયોગ, વચનસુધા શ્રવણે જતાં થયું હૃદય ગતશોગ; નિશ્ચય એથી આવીયો ટળશે અહિં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.' જેની કૃપાથી જીવ અનંત સંસાર ઓળંગી પરીત-સંસારી કે સમીપમુક્તિગામી થાય છે, જેના વચનને અંગીકાર કરવાથી સહજ શુદ્ધ આત્મસ્વરૂપ સહજમાત્રમાં પ્રગટે છે અને જેના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે એવા પ્રત્યક્ષ સત્પષની કૃપા પ્રસાદી જગતનું કલ્યાણ કરો. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો ૧.૨/૬૭૯ આચાર્યને મહાન તીર્થંકર સમાન ગણ્યા છે.
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy