________________
(૨૪૯)
સિકંદરનાં ચાર ફરમાન
ફરમાન ૧ :
મારા મરણ વખતે, બધી મિલ્કત અહિં પધરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો, બાળપણથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો.
ફરમાન ૨ :
મારું મરણ થાતાં બધાં હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃત દેહ આગળ સર્વને દોડાવજો, આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકાળ દળ ભૂપાળને નહિ કાળથી રોકી શક્યું. ફરમાન ૩ :
મારા બધા વૈદ્યો હકીમોને અહીં બોલાવજો, મારો જનાનો એજ વૈદ્યો ને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફ્નાવનારું કોણ છે. દોરી તૂટી આયુષ્યની તો સાંધનારું કોણ છે. માન ૪ :
ખુલ્લી હથેળી રાખતાં જીવો જગતમાં આવતાં ને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા યૌવાન ના જીવન ના જરને જગત પણ છે ના પરલોકમાં પરિણામ ફળશે પુન્યનાં ને પાપનાં
*