________________
(૨૦૪)
શ્રી અનંતનાથસ્વામી સ્તવન (શ્રી આનંદઘનજી કૃત)
ધાર તરવારની સોહલી, દોહલી,
ચૌદમા જિનતણી ચરણ સેવા;
ધાર પર નાચતા દેખ બાજીગરા,
સેવના ધાર પર રહે ન દેવા.
એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, લ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિ માંહિ લેખે.
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે.
વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો,
વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો.
દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે,
કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો;
શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી.
છાર પર લીપણું તેહ જાણો.
ધાર. ૧
ધાર. ૨
ધાર. ૩
ધાર. ૪
ધાર.પ