________________
(૨૦૦)
શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીનરે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીનરે. જ.૧૧ શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વરૂ, તારક લાયક દેવરે; તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવરે. જ.૧૨ સબલા સાહિબ ઓલગે, આતમ સબલો થાયરે; બાધક પરિણતિ સવિ ટળે, સાધક સિદ્ધિ કહાયરે જ.૧૩ કારણથી કારજ હુયે, એ પરતીત અનાદિરે; મારા આતમ સિદ્ધિના, નિમિત્ત હેતુ પ્રભુ સાદિ. જ.૧૪ અવિસંવાદન હેતુની, દઢ સેવા અભ્યાસરે; દેવચંદ્ર પદ નીપજે, પૂર્ણાનંદ વિલાસરે જ.૧૫
શ્રી અરનાથસ્વામી સ્તવન
(શ્રી યશોવિજયજી કૃત) શ્રી અરજિન ભવજલનો તારૂ, મુજ મન લાગે ત્યારે, મન મોહન સ્વામી. બાંહ્ય ગ્રહી એ ભવજલ " તારે, આણે શિવપુર આરે રે, મન મોહન. તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે, મન મોહન. પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે, મન મોહન.