________________
નો
.
***
**
(૧૮૨) યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામોરે; ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુડામોરે વી. દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાનેરે; આદર આગમ આસરી, લિખનાદિક બહુમાનેરે. વી.
૮
૯
લેખન પૂજન આપવું, શ્રુત વાચના ઉદ્ગાહોરે; ભાવ વિસ્તાર સક્ઝાયથી, ચિંતન ભાવને ચાહોરે. વી. ૧૦
5ી
.
બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હવે દેહરે; એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહરે. વી. ૧૧ સદ્ગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહોરે, યોગ ક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહોરે. વી. ૧૨ ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગીરે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંયોગીરે. વી. ૧૩ એહ અવંચક યોગ તે, પ્રગટે ચરમાવર, સાધુને સિદ્ધ દશાસણું, બીજનું ચિત્ત પ્રવર્તેરે. વી. ૧૪ કરણ” અપૂર્વના નિકટથી, જે પહેલું ગુણ ઠાણુરે; મુખ્યપણે તે ઈહાં હોયે, સુયશ વિલાસનું ટાણુંરે. વી. ૧૫
૧. સમકીત પામવાના ત્રણ કારણો, એ ત્રણ યોગનું મુખ્ય બીજ. ૨. પત્ર ૩૧૦. ૩. અવંચક યોગ થાય ત્યારે પ્રથમ દષ્ટિમાં આવ્યો કહેવાય. સાંભળવાથી ઉલ્લાસ, તે પછી અવંચક યોગ, પછી અભિમાન મૂકી ગ્રહણ કરવાની ભાવના રૂપ ધર્મ સ્નેહ પ્રગટે છે. ૪. ધર્મ સ્નેહપછી જ્ઞાનીનો વિનય. ૫. અવંચક યોગનું દષ્ટાંત. ૬. અવંચક યોગથી ભાવમળ દૂર થાય છે. ૭. અપૂર્વકરણની નજીકનું એવું પહેલું ગુણસ્થાનક; અપૂર્વ માટે જે ઉત્સાહ જોઈએ તે આ દષ્ટિમાં હોય છે.