________________
(૧૬૭) ૨૭ સમજુ. જન રાગ-દ્વેષ દૂર કરે - જેવી રીતે રાગ દ્વેષ રૂપાંતરે, પુદ્ગલનાં પરિણામો, તેવાં કરે નહિ ચારે અરૂપી, નભાદિ વિભાવિક કામો; કર્મબંધન રાગદ્વેષે નિરંતર, ભવે ભ્રમણ ગણ તેથી, દુ:ખ પરંપરા ભવથી, તો યત્ન, સુજ્ઞ રહે દૂર બેથી.
હે ગુરુરાજ. ૨૮ વિકલ્પ તજવા ને મોક્ષ મેળવવા પ્રેરણા - શાને કરે બહુ વૃથા વિકલ્પો, મન ધરી બાહ્ય પદાર્થો ? કર્મ અશુભ દુ:ખદાઈ તું બાંધે, રાગાદિ કરી પર અર્થે; શુદ્ધ આત્મિક સુખ ભેદવિજ્ઞાને, પામીશ નિશ્ચ વિશાળ, તેથી આનંદ-જલ-સાગરમાં વસી, ધ્યાને નિર્વાણ નિહાળ.
હે! ગુરુરાજ. ૨૯ કર્મશત્રુ સામે ફરિયાદ હે ! જિન, તુમ પદ પ્રસાદથી એમ, વિચારી જન સ્થિર ચિત્તે અધ્યાત્મ પલ્લે એ પગ મૂકે જ્યાં, આત્મવિશુદ્ધિ નિમિત્તે; કે કર્મ અરિ બીજી બાજુ કરે બળ, રૂપ ભયંકર ધારી, દોષો કરાવી ભ્રષ્ટ કરે આ મધ્યસ્થ સાક્ષી તમારી.
હે! ગુરુરાજ. ૩૦ નિર્વાણનો ક્રમસંસાર રાગાદિ ઢેત રૂપે છે, અદ્વૈત નિર્વાણ નિશે, સંક્ષેપથી બંધ-મોક્ષ હેતુ આ, કહ્યા ઉત્કૃષ્ટ સ્થિતિએ; પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે, અન્ય આલંબન સહાય, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે, નિશ્ચય અનામિ થાય.
હે! ગુરુરાજ. ૧. આવી દશામાં આપજ મધ્યસ્થ સાક્ષી છો. ૨. જેàતપદ છે-અદ્વૈતપદનું આલંબન કરે.