________________
(૧૬૪)
અનિત્ય ભાવનાથી નિત્યમાં વાસ -
૧૮
વાયુથી જલધિના જલમાં ઉછળતા, ક્ષણભંગુર મોજાં પ્રમાણે, ક્ષણ-ભંગુરું આ વિશ્વ સદાયે, સર્વત્ર મુજ મન માને;' સંસાર-વર્ધક સર્વ પ્રવૃત્તિથી, ઉદાસ થઈ મન ઈચ્છે, વિકારવિણ પરમાનંદ બ્રહ્મમાં, રહેવા આપ સમીપે. હૈ ! ગુરુરાજ.
૧૯ શુભાશુભ ભાવરૂપ સંસાર અને શુદ્ધ ભાવરૂપ પરમાત્મા - પાપ અશુભ ઉપયોગથી થાતાં, દુ:ખ પામે જન તેથી, શુભ ઉપયોગે ધર્મ થતાં કંઈ, આવી મળે સુખ એથી; પાપ પુણ્યનાં દ્વંદ્વરૂપે આ, સંસારમાં સહુ બને, નિત્યાનંદ મળ્યું પદ તમને, શુદ્ઘ ઉપયોગે હો મને હે ! ગુરુરાજ.
૨૦ અસંગ, શુદ્ધસ્વરૂપ
જે નથી સ્થિત અંદર કે બાહેર, નહિ સ્થૂલ, સૂક્ષ્મ, દિશામાં, ભારે નથી, હલકી નથી, કે ના-સ્ત્રી, નર કે નપુંસકમાં; જેને નથી કર્મ, સ્પર્શ, શરીર રૂપ, ગંધ, સંખ્યા, વ્યવહાર, નિર્મળ સમ્યજ્ઞાન-દર્શનરૂપ જ્યોતિ હું આત્માકાર. હે ! ગુરુરાજ.
2.
૧. બરાબર વિચાર કરીને. ૨. આપ એ પદમાં નિવાસ કરી રહ્યા છો. હું પણ એ પદમાં નિવાસ કરું એ ભાવના છે. ૩. તે તો સમ્યજ્ઞાન, સમ્યક્દર્શનની મૂર્તિરૂપ ઉત્કૃષ્ટ નિર્મળ છે. એ આત્મરૂપ જ્યોતીથી ભીન્ન હું નથી પરંતુ તદાકાર તન્મય છું.