________________
(૧૬૨)
૧૧ સદ્દગુરૂનો સહવાસ એ પરમ પ્રાયશ્ચિત - વ્યકત અવ્યક્ત વિકલ્પનાં જાળાં, લોક પ્રમાણ અસંખ્ય, ગુંથી ઘુંચાયો દોષ અસંખ્ય, જીવ એ વાત નિઃશંક; સર્વ વિકલ્પ જનિત દૂષણનાં પ્રાયશ્ચિતો નથી શાà, તો તે દોષો નિવારણ થાયે, સદ્ ગુરુ ના સહવાસે.'
હે! ગુરુરાજ. ૧૨ સદ્દગુરૂના સહવાસ માટે યોગ્યતા - સંગ તજી, સત્કૃત-સાર ગ્રહીને, શાંત બનીને એકાંતે, બાહ્ય પદાર્થથી મુક્ત કરી મન ઇંદ્રિય ને ઈચ્છાને; વિધિથી સમ્યક જ્ઞાનમૂર્તિ નિત્ય, આપની ઉરે ધરે જે, તે ભવ્ય તુજ સહવાસ લહે છે, ધન્ય ધન્ય તે નિશ્ચ છે.
હે ! ગુરુરાજ. ૧૩ સદ્ગુરુ યોગમાં વિઘ્નજે પદ દુર્લભ બ્રહ્માદિને પણ, નિચે મળે પ્રભુ પામી, પૂર્વ ભવોમાં કષ્ટ કરેલાં, પુણ્ય પમાડે સ્વામી; અહજિજનેંદ્ર ! ઉપાય બતાવો-તુમ સહવાસ ચહું હું, ચિત્ત ચરણમાં ધરવા જતાં તો બાહ્ય દોડે હું કરું શું ?
હે! ગુરુરાજ. ૧૪ મનની ચંચળતા - સંસાર તો બહુ દુ:ખદાયી નક્કી, સુખદાયી શિવપદ સાચું, મોક્ષ માટે ઘરબાર તજી સૌ, વને વસું, નહિ યાચું;
૧. વિકલ્પોની શુદ્ધિ આપની સમીપમાં જ થાય છે. ૨. અખંડ અને નિર્મળ સામ્યકજ્ઞાનની મૂર્તિરૂપ ઓપમાં મન સ્થિર કરીને આપને દેખે છે તે આપની સમીપતા પામે છે.