________________
(૧૧૫)
(૯)
બ્રહ્મચર્ય વિષે સુભાષિત (દોહરા)
નીરખીને નવયૌવના,લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ,
એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં ઋતિયે, દળ, પુર ને અધિકાર.
વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ.
સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
૧
ર
૩
૫
૬
૭
વિ.સં. ૧૯૪૧