________________
(૧૦૮)
(૩)
(વસંતતિલકા વૃત્ત)
સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પડયે ગતિ એ જ જામે ; માયા અહો ગણી લહે દિલ આપ આવી; “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી.''
(૪)
મુનિને પ્રણામ (મનહરપદ)
શાંતિકે સાગર અરુ, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાન કે નિધાન હો; શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી; સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસેં રહિત, પરમ પુનિત નિત્ય, ગુનર્સે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ધૈર્યપાલ, ધર્મઢાલ ક્રોધકાલ. મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શાર્દૂલવિક્રીડિત)
માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ ધૈર્ય ધૂની;
છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શીયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટી કરું વંદના
વર્ષ ૧૭ મું.