________________
વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે.
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. - મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ.
વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અને બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.”
તીર્થંકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તો પણ ઉપર જણાવ્યા તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણોથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે; માટે સેવનીય છે.” (પત્ર ૩૯૭)
“ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે; અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ.”
(પત્ર ૩૯૮) શ્રી અંબાલાલભાઈને નીચે પ્રમાણે કહેવાની શ્રીજીએ સૂચના આપેલી :
અમને કોઈ જ્ઞાનાવતાર પુરુષનો સમાગમ થયો હતો. તેમની દશા અલૌકિક જોઈઅમને આશ્ચર્ય ઉપજ્યું હતું. અમે જૈન છતાં તેમણે નિર્વિસંવાદપણે -- વર્તવાનો ઉપદેશ કહ્યો હતો. સત્ય એક છે, બે પ્રકારનું નથી, અને તે જ્ઞાનીના
અનુગ્રહ વિના પ્રાપ્ત થતું નથી. માટે મતમતાંતરનો ત્યાગ કરી જ્ઞાનીની આજ્ઞામાં અથવા સત્સંગમાં પ્રવર્તવું....નિઃસદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠાં છતાં વીતરાગ છે..... તથાપિ આપ પ્રત્યે સ્નેહભાવ કોઈ પૂર્વના કારણથી બતાવ્યો જણાય છે. મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ, ઠામ, ગામ કાંઈ જ નથી; તથાપિ વ્યવહારે તેમ છે. છતાં તે અમને અપ્રગટ રાખવા