________________
(૯૧) અમૃતસાગર હૈયે.
મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ જૈયે.
વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીરજ હૈયે, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા હૈયે.
આ અંતરઅનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્દભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરૂણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે.
સંવત્ ૧૯૫૨ના ચૈત્ર સુદ ૧૩ રવી. મુંબઈ
| 3 શ્રી મહાવીર
(અંગત)