________________
(૬૬)
છ પદનો પત્ર, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર બોલ્યા કરવું. ન બોલાય તો કર્મનો વાંક. બીજું કંઈ નથી. આત્મા જોવાની કલ્પના કરવી નહિ. જ્ઞાનીએ આત્મા જોયો છે તે મારે માન્ય છે. યથાતથ્ય જ્ઞાનીએ આત્મા જોયો છે તેવો ભાવ રાખવો. (નાશીક, ૨૮-૩-૩૬)
સ્મૃતિ કરવી :- આત્મા છે; ‘‘આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે.’’ તે સર્વ જ્ઞાનીએ જાણ્યા તે યથાતથ્ય સત્ય છે. તે મંત્ર બહુ જબરો છે. આત્માને લક્ષ રાખવા યોગ્ય છે.
(અગાસ, ૧૨-૪-૧૯૩૬) “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે” – ચમત્કારી વચન છે. દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે, ઘણાનું જે પોતાનું છે. સૌ સારું હો.
-
આત્મા છે, જ્ઞાનીએ જાણ્યો છે, યથાતથ્ય જ્ઞાનીએ જાણ્યો છે તે માન્ય છે. છેલ્લો સવાલ કીધો. જબરામાં જબરી વાત, તેવી બીજી કોઈ ના મળે.
ખબર નથી, પકડ છે, શ્રદ્ધા છે, તેનું કલ્યાણ છે.
(અગાસ, ૧૩-૪-૧૯૩૬)
(પુના. તા. ૧૯-૧૨-૨૪) “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ’
અહંભાવ અને મમત્વભાવ, અહંભાવ અને મમત્વભાવ! બસ, આમાં બધું આવી ગયું – પશુ પંખી, ઝાડ-પહાડ, ઇંદ્ર-ચંદ્ર વગેરે. મેં જાણ્યું, મેં ખાધું, મેં પીધું, બધામાં ‘હું’ ને ‘મારું’–એ મિથ્યાત્વનું મૂળ છે.
છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બધાય સારા છે, પણ આ તો