SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫) મહોત્સવ છે. ‘‘ધીંગધણી માથે કીયો,કુણ ગંજે નરખેટ.’’ બીજો હવે નથી. એ વસ્તુ જેમ છે તેમ છે. તે તો તે જ જાણે છે. એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ-‘“આણાએ ધમ્મો, આણાએ તવ્યો.'' મુદ્દો એ જ વાત. એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. સૂજે એમ કહેજો. એક પરમકૃપાળુદેવ. ‘‘થાવું હોયે તે થાજો, રૂડા રાજને ભજીએ.’’ એ જ. (શરીર) આ પુદ્ગલ છે, આત્મા નથી, સંજોગ છે. સંજોગનો નાશ છે. વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. (બધા દર્શન કરી બહાર ગયા. ત્રિભોવનદાસ તથા ખંભાતવાળા હતા તે વખતે કહ્યું) : પરમકૃપાળુદેવે કહ્યું હતું-‘મુનિઓ, આ જીવને (શ્રીને પોતાને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે ને સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કોઈ (અગર કાંઈ) માન્યું નથી. બીજું કાંઈ સમજીએ નહિ પણ પરમકૃપાળુદેવ માન્ય છે.’’ પ્રકૃતિની અથડામણ. રાખનાં પડીકાં, નાખી દેવા યોગ્ય છે. બધાય પરમકૃપાળુદેવની દષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે તે મોટી વાત છે. ફૂલ નહિ ને ફૂલની પાંખડી. કૃપાળુદેવની દૃષ્ટિ ઉપર બધા આવે છે, સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તોય શું ? આટલી સામગ્રી (શરીર) પુદ્ગલની છે, આત્મા નહિ. આત્મા જે છે તે છે. “આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે’ – ચમત્કારી વચન છે. દયા કરી છે. ઘણા જીવોનું હિત થશે, ઘણાનું જે પોતાનું છે. સૌ સારું હો. આ તો માયા છે, પુદ્ગલ છે. એ ન હોય. આત્મા છે. જ્ઞાનીએ જાણ્યો છે. યથાતથ્ય જ્ઞાનીએ જાણ્યો છે તે AHWETAMBHA
SR No.009199
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Aaradhak Mandal
PublisherShrimad Rajchandra Aaradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy