________________
૪ સામાયિક ભાવ
કરો એટલે તમારાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, નિંદા, ચાડી-ચુગલી કરવાની કુટેવો... મ્હેણાં-ટોણાં મારી મારીને રોજ કરાતા કલહ, કંકાસ, ઝગડા.... આ બધું શમી જવું જોઈએ..... તો જ તમને નવાં કર્મોનો બંધ ન થાય, તો જ તમારૂં સામાયિક તમને ફળ્યું એમ કહી શકાય.
આપણે વિચારવું જોઈએ કે નિયમિત રોજ દવા લઈએ તો આપણો રોગ ઘટવો જોઈએ, રોગ ન ઘટતો હોય તો એ દવા નકામી છે! એ દવા લીધા કરવાનો કોઈ અર્થ નથી.
આ બધા કષાયો' હોય ત્યાં સુધી જીવ રોજ નવાં કર્મોથી બંધાયા કરે છે. કષાય ન હોય તો નવો કર્મબંધ ન થાય.
ઉપદેશ તરંગિણીના તપોપદેશમાં કહ્યું છે :
नाशाम्बरत्वेन सिताम्बरत्वे, न तर्कवादे न च तत्त्ववादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव ।
અર્થાત્ દિગંબરપણું હોય કે શ્વેતાંબરપણું હોય, તર્કવાદી હોય કે તત્ત્વવાદી હોય, અમુક પક્ષ (ગચ્છ, પંથ)ની સેવા કરતો હોય કે તેનો આશ્રય કરતો હોય – આ બધાથી મુક્તિ (મોક્ષ) નથી; પણ બધા કષાયોથી મુક્ત થાય તો જ મુક્તિ થાય છે અને એને જ મોક્ષ કહેવાય છે.
એટલે આપણે રોજ સામાયિક કરીએ તો આપણા કષાયો રોજે રોજ ઘટતા જવા જોઈએ, રોજ પાતળા પડવા જોઈએ. આ સમજી લેવું બહુ જ જરૂરી છે.
એક સવાલ પૂછું?
આપણે અહીંથી ઘાટકોપર સ્ટેશન તરફ જઈએ અને રસ્તામાં ટ્રાફિક, 1. કષાય – કહ્યું + આય : જેનાથી આત્મામાં કલુષિતતા, કર્મનો કચરો (ક) આવે (આય) તેવા અશુભ ભાવ.