SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ભાવ પમાન પર્યુષણ પર્વના નિમિત્તે યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં આપણા જેવા ગૃહસ્થો રોજ જે ક્રિયા સહેલાઈથી કરી શકે અને જે સાધના આપણને અત્યંત ઉપયોગી અને ફળદાયી થાય તે સામાયિક વિશે આપણે આજે થોડું સમજીએ, કારણ કે સમજણપૂર્વકની થોડી ક્રિયા અને સમજણ વગરની ઘણી ક્રિયાના ફળમાં બહુ મોટો ફરક પડે છે. શ્રી જ્ઞાનપંચમીના ચૈત્યવંદનમાં કહ્યું છે : જ્ઞાનરહિત કિરિયા કહી, કાશ કુસુમ ઉપમાન લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન ...૪.. જ્ઞાની શ્વાસોચ્છવાસમાં કરે કર્મનો છેહ પૂર્વ કોડી વરસાં લગે અજ્ઞાની કરે તેહ ......... દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન ..૬... સમજણ વગરની માત્ર બાહ્ય ક્રિયાને આકાશકુસુમ જેવી નિષ્ફળ કહી છે. ક્રોડ પૂર્વ વર્ષો સુધી અજ્ઞાની જીવ ક્રિયાઓ કર્યા કરે તો પણ તે જ્ઞાનીના કર્મક્ષયની તોલે બિંદુ સમાન થાય. ભગવતી સૂત્ર (પાંચમું અંગ)માં ભગવાને કહ્યું છે કે જ્ઞાન સર્વ આરાધક (total) છે અને ક્રિયા દેશ આરાધક (partial) છે. એટલે જ્ઞાનનો મહિમા ઘણો મોટો છે. આજે આપણે “સામાયિક’ શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ. સામાયિક શબ્દને આપણે એક શબ્દ સમજીએ છીએ પણ એ શબ્દમાં ત્રણ શબ્દોની સંધિ છે : સમ + આય + ઇક, એટલે કે સામાયિક શબ્દના
SR No.009197
Book TitleSamayik Bhav
Original Sutra AuthorN/A
AuthorRashmikant Shah
PublisherRashmikant Shah
Publication Year
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy