SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત વંદનાવલિ | (છંદ હરિગીત) બહુશ્રુત ચિંતનાચાર્ય કૃત પ્રાકૃત સ્તોત્રનો ગુજરાનુવાદમાંથી | સ્વાધ્યાય : રવિવાર, ઓગસ્ટ ૧૦, ૨૦૦૮ દીક્ષા કલ્યાણકઃ નિર્મલ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહેજે દીપતાં, જે પાંચ સમિતિ ગુપ્તિ ત્રયની રયણમાળા ધારતાં; દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! લોકોપકારઃ જે બીજ ભૂત ગણાય છે, ત્રણ પદ ચતુર્દશ પૂર્વના, ઉપન્નઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્ત્વના; એ દાન સુ-શ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! તીર્થ સ્થાપનાઃ જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે નાથ સમ કો છે નહીં; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ! જીવનના બધા પાસાઓને વાસ્તવિક સ્વરૂપે જોવા અને વાસ્તવિક સત્યોને સ્વીકારવા. આ અવસ્થા તે વૈરાગ્ય. આગ હોવા છતાં આગને ન માનીએ તો દઝાય જ. સંસાર છોડવા જેવો, સંયમ લેવા જેવું. મોક્ષ મેળવવા જેવો માનવો તે વૈરાગ્ય.
SR No.009196
Book TitleShrut Bhini Aankho ma Vij Chamke
Original Sutra AuthorN/A
AuthorVijay Doshi
PublisherSatrang Media and Publication Pvt Ltd
Publication Year
Total Pages481
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy