________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષયપ્રવેશ
એકેક સમયનું સ્વતંત્ર ઉપાદાન વસ્તુનો સ્વભાવ ઉત્પાદ-વ્યય રૂપ હોવાથી તેમાં દરેક સમયે નવું-નવું કાર્ય થયા જ કરે છે. પહેલા સમયના પર્યાયમાં ન હોય એવું કાર્ય બીજા સમયના પર્યાયમાં પ્રગટે છે. કોઈને પહેલા સમયે મિથ્યાત્વદશા હોય ને બીજા સમયે સમ્યકત્વદશા પ્રગટે છે. ત્યાં જેની દષ્ટિ વસ્તુના સ્વભાવ ઉપર નથી પણ સંયોગ ઉપર છે એવો અજ્ઞાની જીવ એમ માને છે કે “અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું. સદ્દગુરુ વગેરે નિમિત્તો મળ્યા માટે સમ્યકત્વ થયું. જો પોતાની મેળે જ કાર્ય થતું હોય તો પહેલાં કેમ ન થયું? ” આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે, અને એ ભ્રમ જ ઉપાદાન-નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે. એ ભ્રમને લીધે જ ( અર્થાત્ સ્વભાવદષ્ટિથી ચૂત થઈને સંયોગદષ્ટિને લીધે જ) જીવ અનાદિકાળથી સંસારસમુદ્રમાં ગોથાં ખાઈ રહ્યો છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ તેના દરેકે દરેક પર્યાયની સંપૂર્ણ સ્વાધીનતા અને પર પદાર્થોથી તદ્ ઉદાસીનતા બતાવીને આ ગ્રંથ અજ્ઞાનીના તે મહાન ભ્રમનું ખંડન કરે છે.
ચેતન કે જડ બધી વસ્તુઓ દરેક સમયે પોતાના પરિણમન સ્વભાવથી જ નવા નવા પરિણામે ઊપજે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com