________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩પ
ઉપાદાન-નિમિત્ત સંવાદ
ઉપાદાન પક્ષ નિમિત્તપક્ષની અત્યાર સુધીની બધી દલીલો તોડી પાડે છે, તેમ આ દલીલને પણ તોડી નાખે છે
દયા દાન પૂજા ભલી, જગત માંહિ સુખકાર; જહું અનુભવકો આચરન, તહું યહ બંધ વિચાર. ૧૫
અર્થ- ઉપાદાન કહે છે-દયા, દાન, પૂજાના શુભભાવ જગતમાં બાહ્ય સગવડ આપે, પણ અનુભવના આચરણનો વિચાર કરતાં એ બધા (શુભભાવ) બંધ છે, [ ધર્મ નથી.]
પરજીવની દયામાં રાગ ઘટાડે, દાનમાં તૃષ્ણા ઘટાડે અને પૂજા ભક્તિમાં શુભરાગ કરીને જે પુણ્ય બંધાય છે તે જગતમાં સંસારના વિકારી સુખનું કારણ છે–ખરેખર તો તે દુઃખ જ છે. સાચા સુખનું સ્વરૂપ જાણનારા સમ્યજ્ઞાનીઓ તે પુણ્ય અને તેના ફળને સુખ માનતા નથી. તે પુણ્યભાવ રહિત પોતાના શુદ્ધ પવિત્ર આત્માનો અનુભવ તે જ સાચું સુખ છે, પુણ્યભાવથી તો આત્માને બંધન થાય છે, માટે તે દુઃખ જ છે, અને તેનું ફળ દુઃખનું જ નિમિત્ત છે. પુણ્ય તો આત્માના ગુણને રોકે છે અને જડનો સંયોગ આપે છે, તેમાં આત્માના ગુણનો લાભ થતો નથી. જો સાચી સમજણ વડે આત્માને ઓળખીને તેનો અનુભવ કરે તો પરમ સુખ અને સાચો લાભ થાય. આમાં પુણ્ય અને નિમિત્ત [ પુણ્યનું ફળ] એ બન્નેથી સુખ થાય એ વાત ઉડાડી દીધી. પુણ્ય પણ દુ:ખદાયક જ છે અને પુણ્યના ફળ તરીકે બાહ્યમાં ધૂળધમાહાનો સંયોગ-જેને અજ્ઞાની જીવો સુખ કહે છે તે-મળે, પરંતુ તે જડમાં આત્માનો લાભ કે સુખ કિંચિત્ નથી જ.
નિમિત્તે કહ્યું હતું કે પુણ્યથી જીવ સુખી થાય છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com