________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩
ઉપાદાન-નિમિત્ત સંવાદ
ઉત્તર- નિમિત્ત દોષનું કારણ નથી પરંતુ પોતાનો મમત્વભાવ તો જરૂર દોષનું કારણ છે. પૈસા રાખવાનો ભાવ થયો તે કાંઈ મમતા વગર થતો હશે? મમતા તે જ પાપભાવ છે. ઘણા પૈસાથી કે પરજીવના મરવાથી આત્મા નરકમાં જતો નથી, પરંતુ પરજીવને મારવાનો હિંસકભાવ અને ઘણા પૈસા રાખવાનો તીવ્ર મમત્વભાવ છે તેથી જ જીવ નરકમાં જાય છે. કોઈને એક રૂપિયાની જ મૂડી હોય પણ મમત્વભાવ ઘણો હોય તો તે નરકે જાય અને બીજા પાસે કરોડો રૂપિયાની મૂડી હોય છતાં મમત્વભાવ થોડો હોય તો તે નરકે જાય નહિ, એટલે નિમિત્તના સંયોગ ઉપર આધાર ન રહ્યો, પણ ઉપાદાનના ભાવ ઉપર આધાર રહ્યો. ગૃહસ્થ જો હિંસાદિ તીવ્ર પાપ કષાય ન કરે તો નરકમાં ન જાય અને અજ્ઞાની ત્યાગી પણ જો તીવ્ર કલુષિત પરિણામ કરે તો તે નરકમાં જાય.
ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ધર્મામા ચક્રવર્તીરાજમાં હોય અને લડાઈમાં હજારો મનુષ્યોના સંહાર વચ્ચે ઊભા હોય, પોતે પણ બાણ છોડતા હોય-છતાં અંતરમાં ભાન છે કે આ મારું સ્વરૂપ નથી. હું પર જીવનું કાંઈ કરવા સમર્થ નથી, મારી અસ્થિરતાના કારણે મને રાગની વૃત્તિ આવી જાય છે તે પણ મારું સ્વરૂપ નથી, આવું ભાન છે તો તે નરક જતા નથી, માટે પરજીવની હિંસા તે નરકનું કારણ નથી પણ અંતરના અશુભભાવ તે જ નરકનું કારણ છે.
નિમિત્તે બારમા દોહામાં નિમિત્તથી પાપ થાય છે”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com