________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
મૂળમાં ભૂલ છે તોપણ તેઓ જ્ઞાની છે, તેમનો અભિપ્રાય સાચો છે સત્યને સંખ્યા સાથે સંબંધ નથી.
છપ્પનિયાના દુષ્કાળ વખતે ઢોરમાં ઊભા રહેવાની પણ શક્તિ રહી ન હતી, તેને સાંગડાં નાખીને ઊભા કરે તોપણ પાછા પડી જાય. જ્યાં ભૂખ્યા ઢોરમાં પોતામાં જ ઉભા રહેવાની શક્તિ ન હોય સીંગડાં વડે તેને કેમ ઊભા રાખી શકાય? જો ઉપાદાનમાં જ શક્તિ હોય તો કાર્ય થાય છે પરંતુ જો ઉપાદાનમાં જ શક્તિ ના હોય, તો કોઈ નિમિત્ત વડે કાર્ય થઈ શકતાં નથી.
આત્માના સ્વભાવથી જ આત્માનાં બધાં કામ થાય છે. પુણ્ય-પાપના પરિણામ પોતાના કરવાથી થાય છે. પોતે જેવા પરિણામ કરે તેવા થાય છે. બીજા જીવોના આશીર્વાદ મળી જાય તો પુણ્ય થાય અને પુણ્યનો સમુદ્ર ફાટીને આત્માની મુક્તિ થાયએ વાત ખોટી છે. આત્માનું કાર્ય પરાધીન નથી. ભગવાનની સાક્ષાત હાજરી પણ તેને તારવા સમર્થ નથી, અને માથું કાપનાર દુશ્મન પણ તને ડુબાડવા સમર્થ નથી. “દરેક પદાર્થ ભિન્ન છે, હું જુદો આત્મા અને તું જુદો આત્મા, હું તને કાંઈ કરી શકું નહિ, તારા ભાવે તું સમજતો તારું કલ્યાણ થાય એમ ભગવાન તો સ્વતંત્રતા જાહેર કરીને ઉપાદાન ઉપર જવાબદારી નાખે છે. ઉપાદાનની જાગૃતિ વગર કદી પણ કલ્યાણ થતું નથી.
નિમિત્ત કહે છે:દેવ જિનેશ્વર ગુરુ યતી, અરુ જિન આગમ સાર; ઈહું નિમિત્તત્તે જીવ સબ, પાવત હૈ ભવપાર. ૮
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com