________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ ભૂલેલો? જે પોતાના જ્ઞાનમાં ભૂલ્યો છે તે જ સાચી સમજણથી ભૂલ ટાળીને પોતાના જ્ઞાનમાં નક્કી કરે છે.
આ તો મુક્તિનો ઉપાય છે, તેનો મહિમા આવવો જોઈએ. જેમ હીરા-માણેકની કિંમત જાણે અને હીરાની દુકાને બેસે તો ઝટ લાખો રૂપિયાની પેદાશ થાય અને લૂગડાંને મેલ ન ચોટે પણ કંદોઈની દુકાને બેસે તો ઝટ પેદાશ ન થાય અને લૂગડાંને મેલ ચોંટે, તેમ જ આત્માના ચૈતન્યસ્વભાવને ઓળખીને તેની કિંમત કરે તો મોક્ષરૂપી આત્મલક્ષ્મી ઝટ મળે, સ્વરૂપની શક્તિનું ભાન તે હીરાનો વેપાર છે તેમાં મુક્તિલક્ષ્મી ઝટ મળે છે અને આત્માને કર્મમળ ચોંટતો નથી. આત્માના ભાન વગર કદી મુક્તિ થતી નથી અને કર્મમળ ચોંટે છે.
આત્માના અંતરમાંથી આત્માના ગુણને ગ્રહી શકાય છે માટે આત્મા ઉપાદાન છે. જેમાંથી ગુણનું ગ્રહણ થાય તે ઉપાદાન છે. ચિદાનંદ ભગવાન આત્મા પોતાની અનંતશક્તિથી દેહમાં બિરાજે છે. તેને ઓળખીને તેમાંથી મુક્તિનો માલ કાઢવાનો છે. આમાં ઉપાદાનનું સ્વરૂપ બતાવ્યું હવે નિમિત્તનું સ્વરૂપ બતાવે છે.
હું નિમિત્ત પરયોગતે” એટલે જ્યારે આત્મા પોતાના સ્વરૂપની ઓળખાણ કરે ત્યારે જે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર સંયોગ રૂપે હાજર હોય તેને નિમિત્ત કહેવાય છે. ઉપાદાન નિમિત્તનો આ બનાવ અનાદિનો છે. સિદ્ધદશામાં પણ આત્માની શક્તિ તે ઉપાદાન છે અને સ્થિતિમાં અધર્મદ્રવ્ય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com