________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
મૂળમાં ભૂલ તેથી કાંઈ પણ વસ્તુ પરાધીન થઈ જતી નથી, માત્ર તે અજ્ઞાનીને તેના ઊંધા અભિપ્રાયથી અનંત સંસારભાવ વધે છે.
પરવસ્તુના કામમાં હું નિમિત્ત થઉં છું એટલે કે પર વસ્તુઓને મારી અપેક્ષા છે, મારા દયાના શુભ પરિણામ હોય તો પર જીવ બચી જાય. મારા હિંસાના અશુભ પરિણામ હોય તો પર જીવ મરી જાય, મારા શુભ પરિણામ હોય તો સત્ય ભાષા બોલાય” એવા પ્રકારની માન્યતા તે અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે જ તેને પરનું કરવાપણું અને પર સાથેનો સંબંધ દેખાય છે, ખરેખર એમ છે નહિ. ૩૧ મા શ્લોકમાં આચાર્યદવ કહે છે કે આ અજ્ઞાનને પામીને જે જીવો પરથી પરનાં મરણ, જીવન, સુખ, દુઃખ દેખે છે અર્થાત્ માને છે તેઓ અહંકાર-રસથી કર્મ કરવાના ઈચ્છુક છે અને તેઓ નિયમથી મિથ્યાદષ્ટિ છે, પોતાના આત્માનો જ તેઓ ઘાત કરે છે. ઊંધી માન્યતાને લીધે, જેવું સ્વરૂપ છે તેવું દેખાતું નથી પણ બધું ઊંધું જ ભાસે છે. એક બીજાનું કાંઈ કરે એવું વસ્તુસ્વરૂપ છે નહિ છતાં અજ્ઞાનને લીધે જ અજ્ઞાનીને તેવું ભાસે છે. મારે લીધે પરને કાંઈ થાય, ને પરને લીધે મને કાંઈ થાય-એમ અજ્ઞાનથી જ દેખાય છે. આ જગતમાં જે કાંઈ બંધન અને દુ:ખ છે તે અજ્ઞાનથી જ છે. જ્ઞાનીને બંધન નથી-દુ:ખ નથી.
જેને પરથી જુદા પોતાના જ્ઞાનસ્વભાવની ખબર નથી તે જીવ જે જે પદાર્થને જાએ છે તે તે સર્વ પદાર્થોમાં પોતાપણાની માન્યતાથી જુએ છે, એકપણાનો અધ્યવસાય રાખીને જ જોતો હોવાથી તેને બધું ઊંધું દેખાય છે. જે વસ્તુને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com