________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯ ]
પ્રકારનો કાંઈ પણ સંબંધ માનવો તે ઉપાદાન-નિમિત્તનું યથાર્થ જ્ઞાન નથી પણ મિથ્યાજ્ઞાન છે.
સ્વભાવથી દરેક પદાર્થની સ્વાધીનતા અને એક પછી એક દશારૂપે થવાની તેમની સ્વતંત્ર લાયકાત, તેને જે જીવો સૂક્ષ્મતત્ત્વદષ્ટિના અભાવને લીધે નથી જાણતા તેઓ એક પદાર્થને બીજા પદાર્થ સાથે સંબંધ હોવાની-એટલે કે વસ્તુની પરાધીનતાની મિથ્યાકલ્પના કર્યા વગર રહી શકતા નથી. અને એવી જે વસ્તુના સ્વરૂપથી વિપરીત કલ્પના છે તે જ મોટો અધર્મ છે. આ પુસ્તક યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવીને ભવ્ય જીવોને તે અધર્મથી છોડાવે છે.
T
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com