________________
નામકર્મનો ઉદય ગણાય છે, આ કર્મનો ઉદય સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોને જ
હોય છે. બીજાને ઉદય હોતો નથી.
પ્ર.૪૨૨ ઉદ્યોત નામકર્મનો ઉદય કોને કહેવાય ?
ઉ.૪૨૨ જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર શીત હોય અને શીત પ્રકાશ આપે તે ચંદ્ર-તારા વગેરે વિમાનોમાં રહેલા પૃથ્વીકાય જીવોનાં શરીરને ઉદ્યોત નામકર્મનો ઉદય ગણાય છે.
૫.૪૨૩ અગુરુ-લઘુ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૨૩ જે કર્મના ઉદયથી જીવનું શરીર અતિ ભારે પ્રાપ્ત ન થાય તેમ અતિ હલકું પણ ન થાય અર્થાત્ મધ્યમસર જોઇએ તેવું પ્રાપ્ત થાય, તે અગુરુ-લઘુ નામકર્મના ઉદયથી થાય છે.
પ્ર.૪૨૪ જિન નામકર્મ કોને કહેવાય છે ?
ઉ.૪૨૪ જે કર્મના ઉદયથી જીવને ત્રણ લોકને વિષે પૂજ્યપણું પ્રાપ્ત થાય તે.
પ્ર.૪૨૫ નિર્માણ નામકર્મ કોને કહેવાય છે ?
ઉ.૪૨૫ જે કર્મના ઉદયથી જીવનું શરીર જ્યાં જેવું જોઇએ તેવું જ ત્યાં ગોઠવાય એટલે અવયવો અંગો જ્યાં જોઇએ ત્યાં ગોઠવાય તે નિર્માણ નામકર્મ કહેવાય છ.
પ્ર.૪૨૬ શુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૨૬ જે કર્મના ઉદયથી જીવની ચાલ (ગતિ) હંસ અને બળદના જેવી મળતી હોય તે શુભ વિહાયોગતિ કહેવાય છે.
પ્ર.૪૨૭ આનુપૂર્વી કોને કહેવાય ?
ઉ.૪૨૭ વક્રગતિમાં જતાં જીવને જે ઠેકાણેથી વળવાનું આવે તે ઠેકાણે બળદને નાથની પેઠે વાળી આપે તેનું નામ આનુપૂર્વી કહેવાય છે.
પ્ર.૪૨૮ મનુષ્યાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૨૮ જે કર્મના ઉદય વડે વક્રગતિએ જતો મનુષ્યગતિવાળો જીવ પોતાને જ્યાં ઉત્પન્ન થવું હોય બાજુ જે વાળે તે મનુષ્યાનુપુર્વી કહેવાય છે.
ત્યાંજ તે
પ્ર.૪૨૯ દેવાનુપૂર્વી કોને કહેવાય છે ?
ઉ.૪૨૯ જે કર્મના ઉદયથી દેવપણામાં જ્યાં ઉત્પન્ન થવું હોય તે જ ક્ષેત્ર બાજુ લઇ જાય તે દેવાનુપૂર્વી
કહેવાય છે.
પ્ર.૪૩૦ ત્રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૩૦ જે કર્મના ઉદયથી જીવને ત્રસપણું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇ શકે તેવી શક્તિ પ્રાપ્ત થાય તે ત્રસ નામકર્મ કહેવાય છે.
પ્ર.૪૩૧ બાદર નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૩૧ જે નામકર્મના ઉદયથી જીવનું શરીર સ્થૂલ એટલે બાદર (મોઢું) મલે (પ્રાપ્ત) થાય તે બાદર નામકર્મ કહેવાય છે.
પ્ર.૪૩૨ પર્યાપ્ત નામકર્મ કોને કહેવાય ?
ઉ.૪૩૨ જે નામકર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય સઘળી પર્યાપ્તિઓ પૂર્ણ કરે તે પર્યાપ્ત કહેવાય. પ્ર.૪૩૩ પ્રત્યેક નામકર્મ કોને કહેવાય છે ?
ઉ.૪૩૩ જે નામકર્મના ઉદયથી જીવને એટલે કે એક જીવને એક શરીર પ્રાપ્ત થાય તે.
Page 43 of 106