SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યો. જેવી કામવાસનાની ખતરનાકતા રામાયણે બતાવી તેવી કષાયો (ખાસ કરીને અહંકાર)ની ખતરનાકતા મહાભારતે બતાડી છે. એક જ માણસ(દુર્યોધન)નો અહંકાર (કષાય) કેટલી મોટી સંહારક હોનારત સર્જી શકે છે તેનું અતિ કરુણ ચિત્ર એટલે મહાભારતની કથા. વૈરના અંજામ અહંકારમાંથી પેદા થાય છે બીજાઓ પ્રત્યે તિરસ્કાર... અને છેલ્લે ધિક્કાર. આ ધિક્કાર-ભાવનામાંથી વૈરની આગ ભભૂકી ઊઠે છે. વૈરના અંજામ અતિ કરુણ હોય છે. એનું ચિત્રણ જોઈ શકાય નહિ તેટલું ભયાનક હોય છે. મહાભારતની કથા દ્વારા વ્યાસ એક જ વાત સહુના કાનમાં સતત કહી રહ્યા છે : “વેરથી વેર શમે ન કદાપિ, આગથી આગ બુઝાય ના.” ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન ચાઉ એન લાઈને તેના કટ્ટર વિરોધી સાથે વૈરની એવી ગાંઠ બંધાઈ કે તેણે મૈત્રીના વાઘા નીચે તેને પોતાને ઘેર જમવા બોલાવ્યો અને તે જ વખતે તેના ઘેર સિપાઈઓને મોકલીને કુટુંબના નાનાથી મોટા તમામને ટૂકડે ટૂકડામાં કાપી નંખાવ્યા. જમીને વિદાય પામતાં તે વિરોધીને ઠાવકા મોંએ ચાઉએ કહ્યું, “આજે તમારા ઘરે તમારું અભૂતપૂર્વ રીતે સ્વાગત થશે !” દુર્યોધનના હૈયે આવી જ ઠંડી ક્રૂરતા હતી ! તેનામાં અને હિટલ૨માં ઘણું બધું સામ્ય જોવા મળે છે. બન્ને ય છેલ્લી ક્ષણ સુધી શત્રુ પ્રત્યે ખુન્નસથી ભરાયેલા રહ્યા અને વૈરની આગથી જલતા જ રહ્યા. બન્નેએ મૃત્યુસમય પર્યન્ત હવામાં બાચકા ભરવા જેવા, યુદ્ધ જીતી લેવાના બેવકૂફીભર્યા પ્રયત્નો કર્યા ! બન્નેને મન માનવસંહાર એ ઘાસ કાપવા જેટલી સામાન્ય બાબત હતી. હિટલરને લખાયેલો પત્ર જેને આધુનિક દુર્યોધન કહી શકાય તે હિટલરે વિશ્વવિજેતા બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે અતિ ભયાનક ક્રૂરતા આચરી હતી. આખું વિશ્વ ‘ત્રાહિમામ્’ પોકારી ગયું હતું. એક વખત-એ બીજા વિશ્વયુદ્ધના દિવસો દરમ્યાન-કોઈ શાળાના કિશોરે હિટલર ઉપર એક મનનીય પત્ર લખ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે, “તમે શા માટે લડો છો ? તે જ અમને સમજાતું નથી. તમારા જર્મન લોકોનું જીવનધોરણ ઠીક ઠીક ઊંચું હોવા છતાં તમે કેમ લડો છો? અમેરિકા કરતાં તમે કદાચ અડધા હશો પણ અમારાથી તો તમે ચાર-પાંચ ગણા ઊંચા છો. અમે આટલા નીચે છીએ છતાં તમારી જેમ આખી દુનિયાની ખાનાંખરાબી કરવા માટે ઊભા થયા નથી. અલબત્ત, અમેરિકાની જેમ તમે જર્મન લોકો કદાચ રૂપાની ચમચીથી ખાઈ શકતા નહિ હો પણ તમારી પાસે ગમે તેવી ચમચી તો છે ને ! અમારી પાસે તો ચમચી પણ નથી. અરે ! ક્યારેક તો અમારે ખાવાના ય ફાંફાં હોય છે. તમારી તકરાર તો નાના છોકરાં જેવી છે. અમેરિકામાં બાર માળના મકાનો તો અમારે પાંચ માળના જ મકાનો કેમ ? પણ ભાઈ ! તમારે તેટલું ય મકાન તો છે ને ? અમારી જેમ તમે ઝૂંપડપટ્ટીના રહેવાસી કે સાવ બેઘર તો નથી ને ? અમેરિકનોને રોજ પાંચ તોલા માખણ ખાવા મળે છે તો તમને કદાચ અઢી તોલા ખાવા મળતું હશે પણ તેમાં અકળાઈ કેમ ગયા છો ? અમારે તો તેટલું ય માખણ નથી અને છતાં અમે તમારી જેમ કદી લૂંટફાટ કરતા નથી !” આધુનિક દુર્યોધનને યહૂદીઓ તરફ એટલું બધું તીવ્ર વૈર હતું કે તે કોમને ધ૨તી ઉ૫૨થી સાવ જૈન મહાભારત ભાગ-૧ ૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy