________________
લાગે. ઘરના લોકો સ્વભાવના ગમે તેટલા સારા હશે તોપણ વિનયને પાત્ર નથી - એવું લાગે ખરું ? મહાન નથી - એવું લાગે ખરું ? મહાન તો આપ જ છો - એવું લાગે છે.
સહ
સાચું બોલો, એમની સાથે રહેવા માટે અમને છોડ્યા કે અમારી સાથે રહેવા માટે ઘરનાને છોડ્યા ? જૈનશાસનનું મૂળ વિનય છે અને જૈનશાસનના અભાવનું મૂળ અવિનય છે. જે જેનું મૂળ હોય એના અભાવનું મૂળ એનો અભાવ જ હોય ને ? આ જગતમાં સાધુભગવંતની તોલે કોઇ ન આવે, માટે એ જ મહાન છે - એવું લાગે ત્યારે વિનય કરવાનું કહેવું ન પડે. જેની સાથે રહીએ છીએ એ કશા કામના નથી - એવું લાગે ખરું ? કશા કામના નથી એવું ન લાગે, થોડા કામના લાગે.
સહ
–
અગ્નિ થોડા કામનો લાગે કે કશા કામનો નથી - લાગે ? અગ્નિ દઝાડે છે ત્યારે નકામો લાગે ને ? તમે જેનો વિનય કરો છો એ મહાન નથી અને જે મહાન છે એમનો વિનય થતો નથી. ઘરનાને છોડશો તો મહાનનો વિનય કરવાનું બનશે. ઘર છોડ્યા વગર વિનયરૂપ ધર્મ નહિ આવે. સ૦ ઘર તો છોડીએ પણ ઘાટ સુધી ન પહોંચીએ એટલે ન ઘરના ને ન ઘાટના : એવી હાલત થાય.
એક વખત તમે ઘર છોડો તો ઘાટ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી. તમારી ઇચ્છા ઘરમાં રહીને ઘાટ પર પહોંચવાની છે - આવું તો કોઇ કાળે ન બને. તમને તો એવા ઘાટ પર ચઢાવું કે જે ઘરના લોકો તમારી સામે જોતા નહોતા એવા લોકો તમારા પગમાં આળોટે. તમને કહેશે કે - અમને તારો.
સ૦ ઘર ઘર કરી ગયું છે.
રોગ ઘર કરી ગયો છે ને ? રાખવો છે ? કે વહેલામાં વહેલી તર્ક કાઢવો છે ? ઘર છોડ્યા પછી સારા માણસો પાસે જ જવાનું છે, ખરાબ માણસો પાસે નથી જવાનું. તમે સાધુભગવંતો પાસે નથી આવતા એટલે લાગે ને કે - એમને સારા માન્યા નથી. આવા લોકોની સામે વિનય અધ્યયન વાંચવાનું કઇ રીતે ફાવે ? એક વખત હૈયામાં કોતરી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૪
રાખો કે ઘરના મહાન નથી, એમની પાસે રહેવાજેવું નથી. ઘરનાને શોધીને લાવ્યા માટે એ મહાન છે અને સાધુમહાત્મા રસ્તે ચાલતાં ચાલતાં મળી ગયા માટે મહાન નથી એવું કદી ન માનતા. સાધુ પાસે ગયા પછી કોઇ પૂછે કે - ક્યાં જઇ આવ્યા ? તો કહેવું કે - સર્વોચ્ચ સ્થાને જઇ આવ્યો. ઘરવાળા કહે કે - તો પાછા કેમ આવ્યા ? તો કહેવું કે – લાયકાત ઓછી પડી. બાકી ત્યાંથી પાછું આવવા જેવું હતું જ નહિ. સાધુમહાત્માનો વિનય કરે પણ સાધુમહાત્માને મહાન ન માને. બહુમાન વગરનો વિનય એ દિલ વગરની દોસ્તી જેવું છે. એવી દોસ્તી કેટલા દિવસ ટકે ? તમારીઅમારી દશા વિચિત્ર છે. એ દશાને સુધારવા માટે મહાપુરુષોએ જે પ્રયત્ન કર્યો છે એને દાદ આપવી પડે એવી છે. ઘરના લોકો ખાવા-પીવાનું આપશે પણ રત્નત્રયી નહિ આપે. જે ખીવા-પીવાનું આપે એને મહાન માનો અને જે રત્નત્રયી આપે એને મહાન ન માનો ઃ આના જેવી મૂર્ખાઇ બીજી કોઇ નથી. મહાન બનવા માટે મહાનને મહાન માનવા પડશે. આ તો સાધુપણાનું વર્ણન સારી રીતે કરે પણ સાધુને મહાન ન માને. ભાવયાત્રા કરાવે પણ પોતાને ભાવનો છાંટો ન હોય.
સર્વ
ભાવયાત્રા કરવામાં વાંધો શું ?
હું પૂછું છું કે - સાંધો શું છે એ તો બતાવો. શક્તિ હોવા છતાં ભાવયાત્રા કરે એ એક જાતની બનાવટ છે. જમણ ભાવથી કરો કે ભાવજમણ કરો ? યાત્રા ભાવથી કરવાની, ભાવયાત્રા નહિ કરવાની. ભાવયાત્રા શાસ્ત્રવિરુદ્ધ છે ?
સર્વ
માંદગીના બિછાને હોય એને ભાવયાત્રા કરવાની છૂટ - આ તો ગામેગામ ફરે અને ભાવયાત્રાની વાત કરે - એ સારું નથી. જે વિધાન અપવાદે હતું એને ઉત્સર્ગ માને અને પાછું પ્રભાવનાનું અંગ માને એ કઇ રીતે નભાવાય ? આપણું કોઇ માનવાનું નથી પણ આપણે ભગવાનનું માની લેવું છે. આ લોકોને શાસ્ત્ર પ્રત્યે પ્રેમ બહુ ! આપણે જરાક શાસ્ત્રની વાત કરીએ એટલે શાસ્ત્રવિરુદ્ધ કે શાસ્રસમ્મત પૂછ્યા કરે. મારે તો કહેવું છે કે – આખો સંસાર શાસ્ત્રવિરુદ્ધ છે, એ તો તમને ચાલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૧૪૫