________________
સ0 મનમાં ચોવીસે કલાક થાય ?
તમારો ધંધાનો ટાઇમ ૧૧ થી પ હોય પણ મનમાં ધંધો તો ચોવીસે કલાક ચાલુ હોય ને ? ધર્મ ગમે ત્યારે કરો, લાભ જ છે : આવું તમારું બ્રહ્મવાક્ય છે, એને ભૂંસવું જ પડશે. “સાવ નથી કરતા એના કરતાં ગમે તેવું કરે તો ચાલશે? આવું તમારે ત્યાં નથી કરતા ને ? તો ધર્મમાં પણ ગમે ત્યારે કરેલું નહિ ચાલે, કાળે જ કરવું પડશે.
સાધુભગવંતોનો આચાર બતાવતાં આમાં કહ્યું છે કે– વિનય એ જ એમનો આચાર છે. જેને આચાર પાળવો છે તેની પહેલી શરત એ છે કે અવિનીતનો સંસર્ગ ન કરવો, માટે અવિનીતનું સ્વરૂપ બતાવવાનું કામ કર્યું. જે અવિનીત હોય એ ગુરુભગવંતના અનુશાસનને ઝીલે નહિ. વિનીત બનવા માટે અનુશાસનને ઝીલતાં થઇ જવું છે. નારકીના જીવો એ ભવમાં એવું પાપ નથી કરતા કે જેથી તેમને ત્યાં દુ:ખ ભોગવવું પડે. જે કાંઇ દુઃખ ભોગવવું પડે છે એ ભૂતકાળના પાપનું ફળ છે. બધું દુ:ખ પાપની પાછળ છે. આવા વખતે દુ:ખને સમતાથી ભોગવી લઇને પાપથી મુક્ત બનીએ એ સારું ને ? સ0 સાચા-ખોટાનો કોઇ ખુલાસો જ ન કરવો ?
સાચું શું અને ખોટું શું ? સાચું-ખોટું કરવા બેસીએ તો કેવળજ્ઞાન ન મળે. ખૂન ન કરવા છતાં દોષિત ગણાય અને ખૂન કરવા છતાં નિર્દોષ ગણાય : આ પ્રભાવ ભૂતકાળના ગુનાનો જ છે ને ? કયા ભવનો ગુનો છે એ ખબર ન હોય પણ ગુનો છે એ તો ચોક્કસ જ ને ? આપણે જ્ઞાની નથી માટે “શું કર્યું છે એ જાણી ન શકીએ, પણ સાથે એવા અજ્ઞાની નથી કે – આવું બનતું હોય છે એ માની ન શકીએ. માંદગીના બિછાને બોલે કે – કયા ભવનું પાપ ઉદયમાં આવ્યું છે કે જેથી આવું થયું? મારે કહેવું છે કે - “કયા ભવનું' બોલવા કરતાં પાપ ઉદયમાં આવ્યું છે તો સહન કરી લેવું છે. ભવ કહીશું એટલે શું પાપ જતું રહેશે ? તમારીઅમારી માન્યતા તો ‘પાપથી દુ:ખ આવે છે” – એ નથી, પાપ કરતાં પકડાઇ જઇએ તો દુ:ખ આવે – એવી છે : સાચું ને ? ૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
સ0 કશું કરવું જ નહિ ? સીધા જવું અને સીધા આવવું : એમ જ ને ?
હા, એમ જ. કોઇ પૂછે તો કહી દેવું કે - મારા ભગવાને ગોવાળિયાએ ખીલા ઠોકવા છતાં કશું કર્યું નથી તો હું એમનો અનુયાયી થઇને કઇ રીતે કરું ? પૈસા જાય તોય કશી કોર્ટકચેરી નથી કરવી. સ0 કપડાં કાઢે અને જીવવા ન દે - એવી હાલત કરે.
જીવવા માટે અમારે ત્યાં આવી જજો . સ0 તાકાત નથી.
તાકાતની વાત પાછી ક્યાં માંડી ? જન્મેલું બાળક પણ ગાડી નીચે આવે છે ત્યારે એની તાકાત હોય છે ખરી ? આઠ ધાવમાતાઓથી ઉછેરાતા નાના બાળક ઉપર ભૂંગળ પડેલું સાંભળ્યું છે ને ? નાના છોકરા તો અજ્ઞાન છે, તમે સમજુ થઇને શેના દુઃખમાં રડવા બેઠા ? આ દુઃખ કરતાં ભવિષ્યમાં આવનારાં નરક-તિર્યંચનાં દુઃખો તો બહુ મોટાં છે. ત્યાં ભોગવવું એના કરતાં તપ અને સંયમથી ત્યાંનાં દુ:ખો અહીં પૂરાં કરી લઇએ, તપસ્વી જલસા કરે એ ગમે ? સંયમી જલસા કરે એ ગમે ? સારો માણસ પણ તમે કોને ગણો ? જે દુ:ખ વેઠે એને ને ? શ્રદ્ધાંજલીમાં લખો છો ને કે – ટાઢ, તડકો, વરસાદ વેઠીને વડલાની જેમ અમને છાયા આપી. સ) લખવા પૂરતું લખીએ.
અને લોકોને ઉલ્લુ બનાવીએ – એમ જ ને ? જે હૈયામાં નથી એ હોઠે આવે કઇ રીતે ? જેને મોક્ષમાં જવું છે એને હૈયું અને હોઠ એક કરવા પડશે. હૈયું-હોઠ એક હોય એ ખોટું સહન કરવું પડે છે” એવું ન બોલે. જેટલું સહન કરવું પડે છે એ સાચું જ હોય છે. સુખ પણ શાશ્વત નથી અને દુ:ખ પણ શાશ્વત નથી. તમે પણ બોલો છો ને - દુ:ખનું ઔષધ દહાડા ? એક બાજુ આવું બોલો અને બીજી બાજુ દુઃખ પર તૂટી પડો ને ? સ0 રોગ વધે તો કંટ્રોલ કરવો પડે ને ?
અહીં પણ ભગવાનની આજ્ઞા મુજબ દુ:ખ વેઠવાની શરૂઆત કરો તો પાપ પર કાબૂ આવી જશે. ઘણી વાર તો એવુંય બને કે – જેને દુ:ખ વેઠવાની ભાવના છે એને દુઃખ વેઠવાનું આવતું નથી અને જેને દુઃખ વેઠવું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર