________________
ભક્તામર મત્રતત્રાસ્નાય.
૪૩
કાવ્ય ૪૨–
ક્રિ–૩૪ ઈંf અ નો બ્લોવાળા મન્ન–૩૪ નમો નમકના વિત વિર ગાન જ શોના રોજ રદ ૧૬મच्चजायइ सुहनाम गहण सकल सुह दे ॐ नमः स्वाहा।।
ત્ર–મધ્યમાં ચતુરન્સ દસ ખાના કરીને, ૭% દર શ્રી વાજમાઇ નાકર આ મત્રની સ્થાપના તે દસ ખાનામાં કરીને, તેના ઉપર ગોલાકાર કરીને, તેના ઉપર ફરતા ૧૮ ચંકાર વીંટીને, તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ મન્ત્ર વીંટીને તેના ઉપર વલય દઈને યંત્ર સંપૂર્ણ કરે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૫૫
વિધિ–આ કાવ્ય, ઋદ્ધિ, મન્વનું સમરણ કરીને, યંત્ર મસ્તકે ધારણ કરવાથી યુદ્ધ, સંગ્રામને ભય ઉપસ્થિત થતો નથી. રાજાને કો૫ ઉપશમે છે અને પિતાના બલ તથા પરાક્રમમાં વૃદ્ધિ થાય છે. વળી આ વિધિથી મત્રની સાધના કરવી– પવિત્ર થઈ, રાતાં વસ્ત્ર પરિધાન કરીને, પંચામૃતથી ભરેલા રૂપાને કલશ, ચકેશ્વરીની મૂતિ તથા ભરવની મૂતિ, બંને મૃતિઓ પૂર્વ દિશાએ સ્થાપન કરીને, પછી પહેલાં બતાવી ગયા છીએ તે વિધિ પ્રમાણે પૂજા સામગ્રી કરીને, ચકેશ્વરીની અષ્ટપ્રકારે પૂજા કરીને, ભરવની તેલ, સિંદૂરથી પૂજા કરીને, રાતાં ફૂલથી પૂજીને, રક્તચંદનની પાટલિ પર યંત્રની સ્થાપના કરીને, રાતી જપમાલાથી ૧૨૫૦૦ સાડા બારહજાર જાપ કાવ્ય, ત્રાદ્ધિ અને મંત્ર સહિત કરવાથી મન્ત્ર સિદ્ધ થાય છે. મ– સિદ્ધ થયા પછી નિરંતર ૧૦૮ અથવા ૨૧ વખત જાપ કરો.'
ત~-પુષ્યાકે શુદ્ધ હાથા જેડી, ત્રિધાતુના માદળીઆમાં ધારણ કરવાથી, સબલ એ સેનાધિપતિ પણ પગમાં પડે છે અને સર્વ કાર્યમાં નિરંતર નિભય થવાય છે.
ઇતિ બેંતાલીસમાં કાવ્યની પંચાંગ વિધિ સંપૂર્ણ. શ્રી હરિભદ્રસૂરિકૃત ૪૨ મા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી ભેજપત્ર પર પુષ્યાકે અથવા દીપાલિકાના દિવસે વિધિ પૂર્વક લખીને, ત્રિધાતુના માદળીઆમાં નાંખીને, દહીં, દૂધ અને ઘી એ ત્રણમાં ત્રણ ત્રણ દિવસ રાખીને, પંચામૃતથી પખાલીને, મસ્તકે ધારણ કરવાથી રાજ્ય કોપથી તથા સંગ્રામના ભયથી મુક્ત થવાય છે. વળી રૂપાનાં પતરાં પર લખી ૨૧ વાર સફેદ ફૂલથી પૂજન કરનારને વાસુદેવ પણ નમસ્કાર કરે છે અને સર્વ પ્રકારે તે પૂજન કરનાર નિર્ભય થાય છે. આ યંત્રને પૂજન કરેલા અષ્ટગંધનું તિલક કરીને બહાર જવાથી ત્રણે જગતનાં લોકો નિશ્ચયે કરીને નમસ્કાર કરે છે. આકૃતિ માટે જાઓ ચિત્ર. ૨૫૬
૧ ઘ માં વિધિ આ પ્રમાણે છે:–“ઋદ્ધિ, મત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી યુદ્ધનો ભય રહેતો નથી.”