________________
અજિતશાંતિ સ્તવન.
મહાનિધિ અને ચોસઠ હજાર શ્રેષ્ઠ સ્ત્રીઓના જેઓ સ્વામી હતા, ચોરાશી લાખ ઘોડા, હાથી અને રથના સ્વામી તથા છનું કરોડ ગામોના જેઓ સ્વામી આ ભરતક્ષેત્રમાં થયા હતા, તે ઉપશમરૂપ, શાંતિને કરનારા અને સર્વ ભયથી મુક્ત થએલા એવા શ્રી શાંતિનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. તે ભગવાન મને શાંતિ આપો.
इक्खाग विदेहनरीसर नरवसहा मुणिवसहा,
नवसारयससिसकलागण विगयतमा विहुअरया। अजि उत्तम तेअगुणेहि महामुणि अमिअबला विउलकुला,
पणमामि ते भवभयमूरण जगसरणा मम सरणं ।।१३।। (चित्तलेहा)+ પર્વતમાં ઉત્પન્ન થાય છે. સ્ત્રીને ક્ષત્રિય રાજાને ત્યાં ઉત્પન્ન થાય છે. અને બાકીના પુરોહિત, વાક. સેનાપતિ અને પતિ એ ચાર રસ્તો ચક્રવર્તીના નગરમાં ઉત્પન્ન થાય છે. આ ચૌદ રત્નોની ચિત્રાકૃતિઓ માટે જુઓ ‘જૈનચિત્રક૫૮મમાં છપાએલ ચિત્ર નં. ૨૭૮ ૧ નવ મહાનિધિનું સ્વરૂપ આ પ્રમાણે છે –
૧ નિસર્પ નામના નિધાનમાં ગ્રામ, નગર, આકર, પાટણ, દ્રોણમુખ વગેરે સર્વ હોય છે.
૨ પાંડુક નામના નિધાનમાં ગણિત, ગીત, વીશ પ્રકારના ધાન્યના બીજ તથા તેની ઉત્પત્તિના પ્રકાર વગેરે હોય છે.
૩ પિંગલક નામના નિધાનમાં સર્વ જાતના આભરણ અશ્વ તથા હાથીના આભરણ હોય છે.
૪ સર્વત્ન નામના નિધાનમાં ચક્રવર્તીના ચૌદ રતનો વગેરે હોય છે. કેટલાકના મતે આ નિધાનથી તે રત્નો મહાપ્રભાવવાળાં થાય છે.
પ મહાપવનામના નિધાનમાં વસ્ત્ર તથા રંગની ઉત્પત્તિ, તેના પ્રકાર, સાત ધાતુ અને વસ્ત્ર ધોવાની રીત વગેરે હોય છે.
૬ કાળ નામના નિધાનમાં સમગ્ર કાળનું ( જ્યોતિષ ) જ્ઞાન, તીર્થંકરાદિનાં વંશનું કથન શિપવિદ્યા, ખેતી, વ્યાપાર વગેરે હોય છે.
૭ મહાકાળ નામના નિધાનમાં લે, સેનું, મણિ, મેતી, સ્ફટિક અને પરવાળા વગેરે
- ૮ માણવક નામના નિધાનમાં શૂરવીર દ્ધાની ઉત્પત્તિ, શસ્ત્ર વગેરે યુદ્ધની સામગ્રી, યુદ્ધ નીતિ, દંડનીતિ વગેરે હોય છે.
- મહાશંખ નામના નિધાનમાં નાટથની વિધિ તથા ગદ્ય પદ્ય રચનાની વિધિ હોય છે.
આ નવે નિધાને ઉત્સાંગલે આઠ યજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા પેટીના આકારે ગંગા નદીના મુખ આગળ રહેલા હોય છે. ચક્રવતી છ ખંડ પૃથ્વીની સાધના કરે ત્યાર પછી તે તેની સાથે તેના નગરમાં જઈ નગરની પાતાળ ભૂમિમાં રહે છે. વિસ્તૃત વર્ણન પ્રવચન સદ્ધાર વગેરે ગ્રંથથી જિજ્ઞાસુએ જાણી લેવું.
+ આ ચિત્રલેખા છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –