SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જબ અપના મુંહ ખોલો તુમ માણસ વચ્ચે એવો ભેદભાવ ઊભો કરે છે. મોટા માણસને નાના માણસ સાથે વાત કરવાનું ગમતું નથી. વહેવારને લીધે વાત કરવી પડે તેમાં બોજો વર્તાયા કરે, નિખાલસતાને બદલે ચાલાકીના સૂરમાં વાત થતી હોય, બે સારી વાત કહેવાને બદલે કશુંક સંભળાવી દેવાની હોંશ તરવાર્યા કરે, પોતાનું મહત્ત્વ પૂરવાર કરવા માટે જ વાતચીતમાં બોલવાનું થતું હોય – આ લક્ષણો છે, શબ્દોનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે તેનાં. સામાં માણસને મહત્ત્વ ન મળે, સામા માણસની પ્રશંસા ગૌણ બને અને સામો માણસ ટીકાપાત્ર બને તેવા શબ્દો પ્રયોજવામાં વાણી વેડફાય છે. વાણીમાં મધુરતા હોય તે પ્રથમ આવશ્યકતા છે. જૂઠી માખણબાજીમાં અને મીઠાશમાં ફરક છે. સામા માણસને પલાળીને પોતાના સ્વાર્થ માટે કામે લગાડવો છે તે માટે સારા શબ્દો વાપરવાનો દંભ કરવામાં મધુરતાનો આભાસ છે, તેથી વિશેષ કશું નહીં. મંત્રીશ્વર પ્રિય વચનનું વરદાન માંગે છે તે સામી વ્યક્તિની સંવેદનાનો ખ્યાલ કરીને માંગે છે. પોતપોતાનું જગત લઈને સૌ જીવે છે. પોતાનો આનંદ અને પોતાની પ્રસન્નતાને સૌ પોતપોતાની રીતે ઉછેરતા હોય છે. પોતાની ખુશીને કેન્દ્રમાં રાખીને સૌ કોઈ દિવસ અને રાત ગુજરતા હોય છે. તમારા શબ્દો દ્વારા એમની ખુશીને ધક્કો લાગે તે સારું ગણાય ? આનંદમાં રહેવાની સ્વતંત્રતા દરેક માણસને મળી છે. તમારા શબ્દો એ સ્વતંત્રતા પર તરાપ મારે છે. તમે ફક્ત થોડા શબ્દો બોલો છો અને બદલામાં સામા માણસની ઢગલાબંધ શાંતિને છીનવી લો છો. તમારી આ વચનનીતિની ફેરવિચારણા કરો. સામા માણસના વિચારોને તમે બદલો કે ન બદલો તે પછીની વાત છે. સામા માણસની ભાવનાને તમે ખલેલ પહોંચાડી તે બિલકુલ ખોટું છે. તમને કેટલાક માણસો માટે હંસીમજાક કરવાની આદત છે. એને મૂરખ પૂરવાર કરવામાં તમે ક્રૂરતાથી રસ લો છો. એ બિચારો ભોળો કે કમજોર છે તેનો તમે ખોટો લાભ લો છો. ઠઠ્ઠામશ્કરી કરીને રાજી થનારાને પોતાનો અહંકાર ખૂબ પ્યારો હોય છે તેમ મનોવિજ્ઞાન કહે છે. તમને જેમાંથી રાજીપો મળે છે તેમાંથી એને વેદના મળે છે. આને હિંસાનો એક પ્રકાર ૮૨ અનહદની આરતી કહેવાય. સામા માણસમાં રહેલી કમજોરી કે ઓછપ તે એની વ્યક્તિગત ખામી છે. એ આપણને નડતી નથી. આપણે એની ખામીનો વાણીવિલાસ દ્વારા ઉપહાસ કરીએ અને બાપડા એ જીવને નડીએ તેમાં સજજનતા જેવું કાંઈ બચતું નથી. તમારા હાથે ન થતી હોય તેવી ભૂલો, તમારામાં ન હોય તેવો દોષો, બીજી વ્યક્તિમાં જોવા મળે, તમે એ વ્યક્તિને એ ભૂલ અથવા દોષના બદલામાં ઠપકો આપો અને તિરસ્કારી કાઢો તે શબ્દોનો દુરુપયોગ છે. સામી વ્યક્તિનું કલ્યાણ કરવાની ઇચ્છા હોય તો વાત જુદી છે. કેવળ પોતાનું મહત્ત્વ સાબિત કરવા જ ઠપકો આપવો તે દોંગાઈ છે. સાસુ અને વહુના ઝઘડામાં આવું જોવા મળે છે. સંબંધમાં જ્યારે જ્યારે સમતુલા ખોરવાય છે ત્યારે ત્યારે ભૂલોની વિગતવાર મીમાંસા કરવામાં આવે છે. સામા માણસ પર હાવી થવા માટે તેની ભૂલોનું હથિયાર વાપરવું તે ઘાતકી રીત છે. એક પદ્ધતિ વ્યંગ અને કટાક્ષની છે. સીધેસીધું કહી શકાતું ન હોય તો આડકતરી રીતે બે-ચાર ચોપડાવી દેવાનું મન થાય છે. બોલવાની ચળ ઉપડે છે પછી શબ્દોને વધુર્યા વગર એ શાંત નથી થતી. આ એક તુચ્છ પદ્ધતિ છે. કહીં પે નિગાહે અને કહીં પે નિશાના હોય છે. તમે બે-પાંચ જણા સાથે વાતો કરી રહ્યા છો તેવો એક દેખાવ હોય છે. તમારા શબ્દોનાં તીરનું લક્ષ્ય એક જ વ્યક્તિ હોય છે. લોકગીતમાં સરસ લખ્યું છે. કો’કની કાંકરીના માર્યા ન મરીએ મહેણાના માર્યા મરીએ જી રે. આ મેણાટોણામાં તમે સત્તાવાર રીતે બંધાતા નથી અને બીનસત્તાવાર રીતે બોલવામાં કશું બાકી રાખતા નથી. શબ્દોનો આ દુરુપયોગ છે. વાતે વાતે જૂઠું બોલવાની આદત હોય છે. અમુક લોકોને. સામા માણસને દાદ નથી આપવા માટે મૃષાવાદ સેવવાનું એ લોકો પસંદ કરે છે. હા પાડી શકાય તેવી વાતોમાં ધરાર ના કહી દે છે. ના પાડી દેવી જોઈએ તેવી વાતોમાં ખસૂસ હા ભણી દે છે. જાણી જોઈને અજાણ્યા થવાનો દેખાવ કરવાનો. સીધી અને સરળ વાતમાં વધારે પડતો વઘાર કરી દેવો. બીજાના
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy