SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ અનહદની આરતી શું નથી બોલવું ? નક્કી છે ? જોવાનું. એ દોષ ના હોય તો એ વ્યક્તિ કેટલી બધી ઉજળી લાગે તેની કલ્પના કરવાની. એકાદ દોષ તે તે વ્યક્તિના જીવનમાં કેવી રીતે ખલનાયક પૂરવાર થાય છે તે જોવાનું. આ થયું મનોમન કરવાનું પહેલું કામ. હવે એ દોષ આપણામાં છે કે નહીં તે તપાસવાનું. એ દોષ આપણામાં ના હોય તો અભિમાન કર્યા વિના રાજી થવાનું. એ દોષથી બચી જવા બદલ પોતાના હાથે પોતાની પીઠ થાબડવાની. તકેદારી તરીકે, આગળ એ પણ વિચારવાનું કે ભવિષ્યમાં આ દોષ મારામાં ના આવવો જોઈએ. એ દોષ આપણને લાગુ પડે અને એ દોષને લીધે ભરપૂર નુકશાની થાય તેવું થવા નહીં દેવાનો સંકલ્પ કરવાનો. આ છે બીજું માનસિક કામ. સમજો કે એ વ્યક્તિમાં રહેલો તે દોષ આપણામાં હોય તો ? સીધી વાત છે. બંને સમદુખિયા થયા. એનામાં રહેલા દોષને લીધે એને વગોવવાનો પ્રયત્ન કરવાનો નહીં કેમકે આપણે કાંઈ કમ નથી. પોતાના દોષોનો પ્રામાણિકતાપૂર્વક વિચાર અને સ્વીકાર કરવામાં સાચી પાત્રતા વસે છે. દોષો સામેની લડાઈ તે ધર્મ છે. દોષો જોવાના હોય તો પોતાના જ જોવાના કેમકે પોતાના દોષોને જેમ જોઈ શકાય છે તેમ દૂર પણ કરી શકાય છે. પરાયા દોષોને જોઈ તો શકાય છે પરંતુ તેને દૂર કરવામાં આપણો ફાળો નાનો અને સુનો હોય છે. હવામાં ગોળીબાર કરો કે પરાયા દોષોની જાહેરાત કરો, અવાજથી વિશેષ કશું નીપજતું નથી. મંત્રીશ્વરની માંગણી આ તબક્કેથી શરૂ થાય છે. બોલવાનો પ્રસંગ આવે ત્યારે ખૂબ ખ્યાલ રાખવાનો. જરૂરી વાતો જ થાય. બીનજરૂરી વાતો કરવામાં બુદ્ધિનું પ્રદર્શન થાય છે. જે વાત ન કરવાથી કામ અટકી પડે છે તે વાત અવશ્ય કરવાની. જે વાત ન કરવાથી કશું જ અટકતું નથી તે વાત કદી નહીં કરવાની. બોલતા પહેલા આયોજન કરવાનું. શું બોલવું છે તેની યોજના બનાવવાની. ગાતાં પહેલા ક્ષણેક ખાંસી ખાવાની ઘણાને આદત હોય છે. સૂરીલા અવાજની એ તૈયારી હોય છે. બોલતાં પહેલાં મનમાં પૂર્વતૈયારી થવી જોઈએ. કંઈ વાતો નથી કરવી અને કેવા શબ્દો નથી વાપરવા તેવું સ્પષ્ટીકરણ મનમાં હોવું ઘટે, બીજાની માટે ઘસાતું બોલવાનો આપણને કોઈ જ અધિકાર નથી. જેની માટે આપણે ઘસાતું બોલીએ છીએ એ વ્યક્તિ પોતાનાં મનમાં પોતાની તે ખરાબી વિશે પસ્તાવો ધરાવતો હોય તો એના દોષની તાકાત કમજોર બની જાય છે. દોષનો પશ્ચાત્તાપ કરી રહેલા કર્મવશ જીવને બદનામ કરવાથી મોટું પાપ બંધાય છે. એનાં જીવનમાં એ દોષ કોઈ લાચારી કે કમનસીબીને લીધે આવ્યો હશે, એની લાચારીને સમજ્યા વિના એની માટે અવળો અભિપ્રાય ઉચ્ચારવામાં સરાસર અન્યાય છે. દોષ બચાવ કરવા લાયક હોતા નથી. સાથોસાથ, દોષ પ્રચાર કરવા લાયક પણ હોતા નથી. દોષવાદ નામનું કલંક આપણા સ્વભાવને ખરડી નાંખે તે પૂર્વ મંત્રીશ્વરની જેમ સાબદા બની જવાનું છે. આપણે બોલવા સંબંધી આયોજન કરવું જોઈએ. આપણે જે કાંઈ પણ બોલીએ તે પદ્ધતિસરનું હોય, સમજી વિચારીને એકએક અક્ષર ઉચ્ચારવો. મોઢામાંથી બહાર નીકળેલો શબ્દ આપણને બાંધી લે તે પૂર્વે એ શબ્દને વિવેકની સીમામાં બાંધી લેવાનો હોય. મનમાં આવ્યું તે બોલી નાખવામાં નિખાલસતા કરતાં છોકરમત વધારે હોય છે. ખાસ કરીને બીજાના દોષની વાત કરવાની હોય ત્યારે નિખાલસતા હોવાનો સવાલ જ રહેતો નથી. દોષાનુવાદ મનની કમજોરીની ગવાહી છે. આપણને બીજી કોઈ વાત સારી રીતે કરતા આવડતી નથી માટે જ આપણે નિંદા કરીએ છીએ અને આપણે નિંદા કરતા રહીએ છીએ માટે જ આપણને બીજી કોઈ સારી વાત કરતા આવડતી નથી. બોલવાનું મન હોય તો ઘણા મુદ્દા છે. સીધું જ બીજાની ઉપર આક્રમણ કરવાની જરૂર નથી. આપણે બીજાના દોષો બોલીશું. એ દોષાનુવાદના સમાચાર પેલી વ્યક્તિને મળશે. પાપ છાપરે ચડ્યા વિના રહેતું જ નથી. એ વ્યક્તિ ઇંટનો જવાબ પથ્થરથી વાળશે. તમારા દોષાનુવાદની સભા એ વ્યક્તિના અધ્યક્ષપદ હેઠળ યોજાશે. તમારા વિશેની ખરાબ વાતોની રજૂઆતને તાળીઓથી વધાવી લેવામાં આવશે. એ સમાચાર ફરતા ફરતા તમારી પાસે આવશે. તમારો જીવડો રઘવાયો થશે. તમે ચૂંટણીપ્રચારનો રવૈયો અખત્યાર કરશો. ચારેકોર પેલી વ્યક્તિના દોષની જાહેરાત થશે, તમારાં શ્રીમુખે. તમને લાગશે તમે જીત્યા. પેલી વ્યક્તિને લાગશે, એ જીતી. સરવાળે બંને હારે છે. તમારી અને પેલી વ્યક્તિની અંગત વાતો પારકા લોકો સુધી બહુ સહેલાઈથી પહોંચી ગઈ. દોષાનુવાદ કરનાર બહુ મોટી નુકશાની
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy