________________
૫૬
સજ્જનોનો સથવારો : દુર્જનોનું દૂરીkણ
પપ ખરાબ માણસ તરીકે બીજાથી અલગ તારવવામાં આવે તો તમને નહીં ગમે. તમે આ દુનિયામાં રહેતા અબજો માણસોમાં માંડ ચાળીસ-પચાસ માણસો સાથે જીવો છો. થોડાક માણસોની વચ્ચે સારા પૂરવાર થવાનું છે. એકાદ બૅટ્સમૅનનાં જોરે મૅચ જીતી શકાય પરંતુ સિરીઝ જીતવા માટે તો બધા જ
પ્લેયરે સારું રમવું પડે. એકાદબે ગુણોના સહારે સારા માણસ બની શકાય પરંતુ ધર્માત્મા બનવા માટે તો બધાં જ સ્તરે સારા બનવું પડે છે. સારા ધર્માત્મા બનીને તમે જીવનનો સોનેરી અધ્યાય લખી શકો છો. તમારે જરૂર છે એક મજબૂત આધારની.
તમે નાનપણમાં પરાધીન હતા. માનસિક રીતે તમે પરવશ હતા. આ દિવસોમાં તમને સંસ્કારો અને વિચારો મળ્યા છે. એ મેળવવા તમે મહેનત કરી નથી. આપખુદ અવતરણ હતું એ. અત્યારે તમારી પાસે પસંદગીનો અવકાશ છે. પસંદગીનું પૃથક્કરણ કરીને પસંદગીને બદલી શકવાની મોકળાશ છે. તમે ધારી ન શકો એવી ઊંચાઈ તમે સાધી શકો છો. ગુણો એવા છે કે તમે એમને જાણો તો તુરંત જીવનમાં ઉતારી શકો. તમારું જીવન તમને દેખાતું નથી. તમને તમારા જીવનના ટુકડાઓ દેખાય છે. ભારતને નહીં જાણનારાને ભારતનો નકશો બતાવો તો તેને કેવળ રેખાઓ વચ્ચેની જગ્યા દેખાય છે તેમ તમને કેવળ તમારાં વરસો સાથે જોડાયેલા થોડા કિસ્સાઓ દેખાય છે. તમારા જીવનમાં બનતા હરકોઈ પ્રસંગોમાં તમારા ગુણો અને દોષો અગત્યનો ભાગ ભજવે છે. પ્રસંગોની સંખ્યા જો એકસોની હોય તો તેમાં સંખ્યાઆધારિત મૂલ્યાંકન કરવું જોઈએ. આ બધા પ્રસંગો બન્યા તેમાં પચાસ પ્રસંગો એવા હશે જે સારા હશે, પચાસ પ્રસંગો એવા હશે જે ખરાબ હશે. સારા પ્રસંગોને ઉજવણીના પ્રસંગો નથી ગણવાના. ગુણોનો સિંહફાળો ધરાવતા પ્રસંગો તે સારા પ્રસંગો છે. તો રડવાના કે નુકશાનીના પ્રસંગોને ખરાબ પ્રસંગો નથી સમજવાના. દોષોનો વાઘફાળો ધરાવતા પ્રસંગો તે ખરાબ પ્રસંગો છે. દાખલા તરીકે, વ્યાખ્યાન સાંભળીને તમે જીવનભર માટે કોઈ એક બાધા લીધી તો એ તમારા માટે સારો પ્રસંગ બન્યો. આ પ્રસંગ પાછળ તમને ધર્મશ્રવણ નામનો સદ્દગુણ કામ લાગ્યો કહેવાય. તમે દુકાને બેસીને એક ભલા ઘરાકને ચાલીસનો માલ સિત્તેરમા પકડાવી દીધો તો એ તમારી માટે ખરાબ
અનહદની આરતી પ્રસંગ કહેવાય. આ ખરાબ પ્રસંગ પાછળ તમારી ધનલાલસા નામના દોષનો ફાળો છે તેમ કહેવાય. તમારી જીંદગીમાં જે કાંઈ પણ બને છે તે નાનું અને મોટું હોય છે. બંનેમાં ફાળાની દૃષ્ટિએ કોનો ભાગ વિશેષ છે તે તમારે શોધતા રહેવાનું છે. ગુણોના ફાળા દ્વારા બને તેવા પ્રસંગો ખૂબ બધા હોવા જોઈએ. દોષોના ફાળા દ્વારા ઘટિત થતા પ્રસંગો સાવ ઓછા હોવા જોઈએ. તમારા સજ્જન કે ધર્માત્મા હોવાની આ પારાશીશી છે. આવું નથી બનતું ને ? એટલે જ સજ્જનનો સંગાથ રાખવાનો છે. સજ્જનની સાથે સંબંધ રાખશો, એની સાથે વહેવાર હશે વાતચીતનો. એનાં જીવનમાં ડગલે અને પગલે ઊભા થતા પ્રસંગોમાં ગુણોનો ફાળો વિશેષ હોવાનો છે. દેખાશે.
આ આખો મુદ્દો તમે બીજી રીતે પણ વિચારી શકો. તમારાં જીવનમાં નાના કે મોટા પ્રસંગો બને છે તે જેમ સત્ય છે એ રીતે નાના કે મોટા પ્રસંગો બનવાના રહી જાય છે તેમ પણ બને છે. દાખલા તરીકે તમારી સમક્ષ પર્યુષણનો પહેલો દિવસ હોય છે અને તમે સવારે નાસ્તો કરવા બેસી જાઓ છો ત્યારે તમારા હાથમાંથી ઉપવાસ નામની સારી ઘટના છટકી જાય છે. આનું કારણ તમારો આહાર સંજ્ઞા નામનો દોષ છે. તમારી સમક્ષ ચોરી કરવાનો સરળ મોકો છે અને તમે એ રસ્તે જવાનું ટાળી દો છો, ત્યારે તમારાં જીવનમાંથી એક ખરાબ ઘટનાને આગોતરો જાકારો મળે છે. આનાં મૂળમાં તમારો નૈતિકતા નામનો ગુણ છે. સારી ઘટના બની શકતી હતી તે ના બની અને ખરાબ ઘટના બની શકતી હતી તે અટકી ગઈ આવું પણ બને છે. સજ્જન સારી ઘટના ચૂકતો નથી. ખરાબ ઘટનાને તક આપે તે સજ્જન રહી શકતો નથી. સારી ઘટના બનતા બનતા રહી જાય ત્યાં સજજનતા હારે છે. ખરાબ ઘટના બનતા બનતા રહી જાય ત્યાં સજ્જનતા જીતે છે. તમે તમારાં જીવનને આ રીતે પણ મૂલવી શકો છો. તમારા જીવનમાં વધારે વખત કોની જીત થાય છે અને વધારે વખત કોની હાર થાય છે તે તમારે જાતે તપાસી લેવાનું છે. તમારી માટે આ અઘરું છે. તમને તમારો નાનો ગુણ વધુ પડતો મોટો લાગે છે. તમને તમારો દોષ સાવ નાનો લાગે છે. સાચું અને સ્વસ્થ મૂલ્યાંકન તમારામાં નથી. તમારી સાથે કલ્યાણમૈત્રી રાખનારો સજજન તમને આ દૃષ્ટિએ ખૂબ કામ લાગશે. સજ્જનતાની હાર થતી હોય તે વખતે એ