________________
પ્રાશકીય
સમર્પણમ્
શાંતિસૌરભ માસિકમાં અનહદની આરતી-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે.
તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી ૫. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત - સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે.
તત્ત્વચિંતન અને ભાષાસમૃદ્ધિનો સમન્વય ધરાવતું આ પુસ્તક, એક ચોક્કસ અભ્યાસક્રમની જેમ વિષયનો વિકાસ સાધે છે. શ્રદ્ધાસંપન્ન વાચકોને આ પુસ્તક અવશ્ય ગમશે.
પૂજ્યપાદ અનંત ઉપકરી પિતા મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાના
પવિત્ર હાથોમાં.
- પ્રવચન પ્રકાશન