SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુજી સામું જુઓ પ્રભુ વીતરાગ છે અને કેવળજ્ઞાની છે. આ બે ગુણોની જુગલબંદી અજબ છે. પ્રભુ ફક્ત કેવળજ્ઞાની હોય અને વીતરાગ ન બન્યા હોય તેની કલ્પના કરીએ. વિચાર જામતો નથી. વીતરાગભાવ વિનાનું કેવળજ્ઞાન હોઈ જ ના શકે. પરંતુ જો હોય તો એ કેટલું બધું જોખમી બની જાય ? જગતના તમામ પદાર્થો દેખાય. તમામનું આકર્ષણ જાગે ને તમામ દુઃખોનો ડર કે ત્રાસ જીવતો હોય મનમાં. આપણા રાગ અને દ્વેષ આલંબન આધારિત છે. કેવળજ્ઞાન માટે કોઈ જ આલંબન અદશ્ય નથી. તમામનું સંપૂર્ણ દર્શન થયું હોય તો ભયંકર ઉદ્વેગ અને હતાશા થવાની પણ સંપૂર્ણ સંભાવના છે. પિંગળાનું વાસ્તવિક ચરિત્ર જોઈને રાજા ભરથરી અંદરથી તૂટી ગયા હતા. જીવ ભલો હતો તે વૈરાગની વાટ પકડી લીધી. જાણકારી પૂર્ણતાનો સ્પર્શ પામે અને મન સાબૂત ન હોય તો ઝંઝાવાત મચી જાય. કેવળજ્ઞાન થાય છે તે પછી વીતરાગભાવને લીધે મનોજનિત પ્રતિભાવો રહેતા જ નથી. આપણે બોલીએ અને સાંભળીએ છીએ કે મોહનીય કર્મ તૂટ્યું અને કેવળજ્ઞાન આવ્યું. તદ્દન વહેવારુ સત્ય છે. આ મોહનીયકર્મની હાજરીમાં જો કેવળજ્ઞાન આવી જાય તો આત્મા પર અવ્યવસ્થાનો હાહાકાર મચી જાય. પ્રભુએ કેવળજ્ઞાન અને વીતરાગભાવની જુગતે જોડી ભલી રાખી. પ્રભુ પાસે બેસીને આ સદ્ગુણ પર વિચારતા રહીએ તો મૂર્તિની સ્મિતછવિ નિત્યનવીન લાગે. પ્રભુ પાસે આ અપૂર્વ સંપદા છે. એવી અદ્ભુત કે સોચતા રહીએ તેમ સ્તબ્ધતા વધતી જાય. 3E પ્રભુનાં કેવળજ્ઞાનનો વિચાર. ભૂતકાળ સંપૂર્ણ જાહેર. વર્તમાન પરિપૂર્ણ સ્પષ્ટ. ભવિષ્ય અત્યંત વ્યક્ત. પ્રભુની જાણ બહાર કશું નથી. પ્રભુને કોઈ અંધારામાં રાખી ના શકે. પ્રભુને ન સમજાય તેવો કોઈ વિચાર કે વિસ્તાર જ નથી જગતમાં. ભાષામાત્રનો બોધ. પદાર્થમાત્રનું જ્ઞાન. પરિસ્થિતિમાત્રની જાણકારી. દરેક સંયોગોના દરેક કાટખૂણાથી પ્રભુ વાકેફ. કશું નવું નથી. કશું જૂનું નથી. બધું જ છે કેવળ દૃશ્યમાન. આંખોથી જોવાનો ઉપચાર છે. બાકી આત્મા જ દેખી રહ્યો છે. વગર આંખે સકલ જગતનાં દર્શન થાય. કલાપીના શબ્દો : આ ચશ્મ જે બુરજે ચડ્યું, આલમ બધી જ નિહાળવા, એ ચશ્મને કોઈ રીતે રોકી તમે શકશો નહીં. અનહદની આરતી પ્રભુનું જ્ઞાન તટસ્થ છે. પ્રભુનાં જ્ઞાનમાં પારદર્શી તેજ છે. પ્રભુ મને દેખે તો ? પ્રભુ મારાં શરીરને નીરખે. ઍક્સૉ વિના મારા હાડેહાડને પારખે. નખશિખ દેહનું આંતરનિરીક્ષણ કરે. હૃદયના ધબકારા દેખાય. કૉનૉરરી બ્લોક થઈ હોય તો તેય દેખાય. ફેફસાં અને આંતરડાં અને પિત્તાશય અને નસોનું જાળું દેખાય. અંદર જતો શ્વાસ, ચૂસાતો ઑક્સિજન અને બહાર નીકળતો શ્વાસ, ફેંકાતો કાર્બન-પ્રભુ જોઈ શકે. વાળની સંખ્યા કહી શકે. ધોળા અને કાળાની જુદી ગણતરી કરાવી શકે. શરીરમાં રમતે ચડેલા રોગો જોઈ શકે. સાત ધાતુની શતરંજ ચાલે છે તેની દરેક ચાલ ભાળી શકે. શરીરની અંદર છૂપાયેલો આત્મા પ્રભુને દેખાય. આત્માને શરીરનાં પીંજરામાં પૂરનારાં કર્મો પ્રભુને દેખાય. કર્મો કેટલાં વરસ સુધી ચાલે તેટલાં છે એ સ્ટૉક પ્રભુ જોઈ શકે. નવાં કર્મોનું આગમન પ્રભુને દેખાય. કાર્યણશરીરનું જોડીદાર તૈજસ શરીર દેખાય. એ તૈજસ શરીરમાં રહેલી પાચકશક્તિ, તેજોલેશ્યા અને શીતલેશ્યાની નિર્માણશક્તિ પ્રભુ ભાળે. અત્યારે આત્મા પર જેટલાં પણ કર્મો છે તે કર્મો કેટલા ભવો દ્વારા બંધાયાં છે તે ભવોની સંખ્યા પ્રભુને મોઢે હોય. (મોઢે હોય તેમ લખવું કે બોલવું તે પ્રભુનું અપમાન છે. પ્રભુને ખ્યાલમાં હોય તેમ સમજવું. મોઢે હોય એ ભાષા આપણને મોઢે છે વાસ્તે લખવી પડે.) એકેક ભવમાં કેટલાં કર્મો બાંધ્યાં તેનો હિસાબ પ્રભુ પાસે હોય જ. અત્યારે આત્મા પર રહેલાં કર્મો આગળ કેટલા ભવો સુધી ચાલવાના છે તેની પ્રભુને ખબર હોય. તો એ ભવો દરમિયાન નવાં કર્મો ઊભા થવાનાં છે તેની સંપૂર્ણ ગણતરી પ્રભુને હોય. આ કર્મોની નીચે ઢંકાઈ રહેલા આતમરામમાં વસતું કેવળજ્ઞાન પ્રભુને પ્રત્યક્ષ દેખાય. પ્રભુનાં જ્ઞાનની સીમા નથી. પ્રભુ કેવળજ્ઞાની છે માટે જ પ્રભુ અનંતજ્ઞાની છે. ४० પ્રભુનો વીતરાગભાવ. ગરીબને શ્રીમંતાઈ ન સમજાય તેવો અકળ. પ્રભુ માન માટે મરતા નથી. પ્રભુને ગુસ્સો આવતો નથી. પ્રભુનાં મનમાં રાજીપો રેલાતો નથી. પ્રભુનાં દિલમાં પ્રેમભાવ જાગતો નથી. પ્રભુ ભેદભાવ કે પક્ષપાત રાખી શકતા નથી. પ્રભુને સ્તવનાની અસર નથી, અપમાનની અસર નથી. પ્રભુ પ્રશંસા અને નિંદામાં લેપાતા નથી. પગલે પગલે કમળ મૂકાય કે માથે તલવાર ઝીંકાય પ્રભુની પ્રસન્નતામાં ફેર નથી પડતો. પ્રભુ
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy