SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 33 અનહદની આરતી આધાર, મેરો પ્રભુ રોજેરોજ પૂજા કરે છે, ઉત્તમ ભક્તિ કરે છે અને માંગણી પણ એની જ કરે છે. હાથમાં રોટલી રાખીને એ ફરી રોટલી માંગે છે. સમજવા જેવું છે. મંત્રીશ્વરને અત્યારે જે ધર્મ થાય છે તે ગમે છે. આ ધર્મ અખંડ રીતે ચાલ્યા કરે તેવી મંત્રીશ્વરની ઇચ્છા છે. કેવળ આટલી જ ઇચ્છા નથી. આ ધર્મમાં સતત નવો નવો ધર્મ ઉમેરાયા કરે તેવી એમની ઝંખના છે. જોકે, બધાની ઇચ્છા આવી જ હોય. મંત્રીશ્વર ઊંચું નિશાન તાકે છે. તીર્થકરને નમસ્કાર કરવાથી આત્માને જે ઉત્કૃષ્ટ લાભ થઈ શકતો હોય તેનો એમને ખપ છે. પ્રભુને વાંદવાથી સાંપડી શકે તેવી સમૃદ્ધિ કે મોટાઈમાં તેમને રસ નથી. પ્રભુને નમસ્કાર કરવા દ્વારામાં છેલ્લામાં છેલ્લું ફળ જે મળતું હોય તે પામવું છે. ભગવાનની ભક્તિ કરવી છે અને ભક્તિનો શ્રેષ્ઠ પ્રભાવ અનુભવવો છે. જયવીરાયના શબ્દો : હોઉ મમં તુહ પભાવ. પ્રભુ કેટલી હદે પ્રભાવ પાથરી શકે છે તેની કલ્પના થઈ શકવાની નથી. આપણી ભક્તિ પ્રભુના પ્રભાવને ઇજન આપે તેવી હોવી જોઈએ. આપણી પાત્રતા પ્રભુના પ્રભાવને આપણા તરફ ખેંચી લાવે તેવી હોવી ઘટે. પ્રભુનો પ્રભાવ જાતે સક્રિય થાય ત્યારે શું શું ન આપે ? પ્રભુને વંદના કરવી છે. પ્રભુને વાંદવાથી જે પ્રભાવ વહેતો આવે તેનો સાક્ષાત્કાર કરવો છે. આપણી વંદના પ્રભુના પ્રભાવને નજીક બોલાવે તેવી નથી. નાગકેતુએ પુષ્પપૂજા કરતી વખતે વંદના સિદ્ધ કરી. પ્રભુનો પ્રભાવ જાગી ઊઠ્યો. કેવળજ્ઞાન મળ્યું. આપણે એવું ગાવું છે કે પ્રભુ ડોલે. આપણે એવું બોલવું છે કે પ્રભુ મલકાય. આપણે એ રીતે પૂછવું છે કે પ્રભુને જવાબ આપવો જ પડે. પ્રભુમાં પ્રભાવ સમાયેલો છે. આપણે ભક્તિ દ્વારા એ જાગૃત કરવાનો છે. પ્રભુના પ્રભાવને સ્પર્શે તેવી ભક્તિનાં મૂળ શાસ્ત્રના અભ્યાસ સુધી જશે. શાસ્ત્રો વાંચ્યાં છે. શાસ્ત્રો દ્વારા સતું અને અસતુનો વિવેક કેળવ્યો છે. આપણી જિંદગીમાં સતું ઓછું અને અસતુ ઘણું છે તે જોઈને દાક્યા છીએ. જીવ ખૂબ વલોવાયો છે. પ્રભુ પાસે સથવારો માંગ્યો છે. પ્રભુ પ્રભાવ બતાવી સાચવી રહ્યા છે. શારાના અભ્યાસ દ્વારા મનોમન અંક્તિ થતી ત્રણ રેખાઓ આ રહી. પાપની પહેચાન. પાપનો પસ્તાવો. પાપપરિહારની ભાવના. પાપને પાપ તરીકે જોવું તે વંદનાની ભૂમિકા. પાપની હાજરી ડંખે તે વંદનાનું ઉત્થાન. પાપ ઘટાડવાની ઇચ્છા જાગે તે છે વંદનાની અનુભૂતિ. આત્માનું સ્વરૂપ નિષ્પાપ છે. પરમાત્મા નિષ્પાપ છે. આપણે નિષ્પાપ નથી. પ્રભુ પાસે જઈને પોતાની નિષ્પાપ અવસ્થા યાદ આવે અને આજે આત્માને ઘેરી વળેલાં પાપોના પડછાયાનો પારાવાર વલોપાત પ્રભુ સમક્ષ વ્યક્ત થાય તે છે વંદના. પાપથી બચવાની ઇચ્છા પ્રભુની ભક્તિ દ્વારા દેઢ થાય છે. પાપોની હાજરીનો અણગમો પ્રભુભક્તિ દ્વારા વધતો જાય છે. પોતાનું એક એક પાપ અલગ અલગ તારવીને પ્રભુને જણાવ્યા કરીએ. દરેક પાપ બદલ પ્રભુસમક્ષ જ પોતાની જાતને ઠપકો આપીએ. પાપો જીવનમાંથી ઘટતાં ન હોય તો પાપનો પસ્તાવો પણ ઘટવો ના જોઈએ. પ્રભુ પાસે આપણો આધ્યાત્મિક સ્વાર્થ કેવળ એક જ છે : સવ્વપાવપ્પણાસણો. બધાં પાપો ખતમ કરવાં છે ? પ્રભુ સિવાય કોણ બચાવશે આ પાપોથી. પ્રભુ સિવાય કોણ ઓળખાવશે આ પાપોને ? બીજી વાત. જીવનમાં ઢગલાબંધ પાપો ચાલુ રહ્યાં હોય તો પ્રભુને મળવાનો હક નથી આપણને પ્રભુની મૂર્તિને અડવું હોય તો નાહવું પડે છે. પૂજાનાં કપડાં પહેરવાં પડે છે. પ્રભુને પ્રાર્થના કરવી હોય તો જીવનમાં સફાઈ હોવી જોઈએ. ગમે તેવા આદમી પ્રભુને મળી ના શકે. પ્રભુનો મોભો હોય છે. પાપથી બચવું છે. પ્રભુ પાસે ઈલાજ છે. પ્રભુને મળવું છે. પાપોથી બચતા રહેવું પડશે. બન્ને દિશાએ જાગવાનું છે. જિંદગીનું એક મિશન બનાવવું પડશે. કાગળ લઈને તેની પર પૈનથી લખવાનું. આજ સુધી કરેલાં પાપોનું લિસ્ટ બનાવવાનું. ભગવાન્ સિવાય કોઈ નહીં વાંચે તેવા વિશ્વાસ સાથે બધું જ લખવું. પાપો થયાં છે. પાપો કર્યા છે. પાપો ન ગમ્યાં તોપણ કર્યા. પાપો ગમ્યા માટે કર્યો. બિનજરૂરી હતાં તે પાપ પણ કર્યા. જરૂરી હતાં તે પાપો કરવાં જ પડ્યાં. પાપ મેં કર્યા છે. મારાં પાપોની જિમેદારી મારી જ હોય. સીધી વાત છે. કેટલાં પાનાં ભરાશે તેની ફિકર નથી રાખવી. બધાં જ પાપોની નોંધ કરી લેવી છે. - આ પાપોમાં હવે બે વિભાગ કરવાના. થઈ ચૂકેલાં પાપો અને ચાલુ રહેલાં પાપો. થઈ ચૂકેલાં પાપો તો ભૂતકાળ બની ચૂક્યાં છે. બાળપણમાં
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy