SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯ શબ્દ શબ્દ શાતા વિષયવસ્તુ અને સંદર્ભની વાસ્તવિક વાર્તા. એ કાળ અને તે સમયનું ચિત્રણ કરતા શબ્દો અને સૂત્રોનું મૂળભૂત અર્થઘટન, નવા મતોનાં ઉત્થાન. નવા માર્ગોનો પ્રારંભ. મૂળમાર્ગની સુદીર્થ પરંપરા. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી આ ત્રણ ભાષામાં એટલું બધું સાહિત્ય છે કે સાત જિંદગી ઓછી પડે. કંઈ રચના કોણે કરી ? કયારે થઈ ? કોની માટે ? આ બધું સમજવાની સગ્ગી જવાબદારી આપણી છે. સમય ફાળવીને મહેનત કરીશું નહીં તો જાણી શકાશે નહીં. જૂના જમાનામાં ગૃહસ્થો પણ ગ્રંથો લખતા. ઠક્કર ફેરૂએ વાસ્તુસાર અને રત્નસાર લખ્યા. મંત્રી મંડને કેટલાય ગ્રંથો લખ્યા. દરેક ગ્રંથનાં નામમાં અંતે મંડન હોય. પ્રાસાદમંડન, કાવ્યમંડન. વસ્તુપાળે અત્યંત અઘરી ભાષામાં લખ્યું સંસ્કૃત મહાકાવ્ય : નરનારાયણાનંદ. તે પૂર્વે રાજા કુમારપાળ લખી ચૂક્યા હતા : આત્મનિંદાસ્તવના અને તે પૂર્વે કવિ ધનપાલ લખી હતી વિશ્વવિખ્યાત કથા : તિલકમંજરી. કવિ વાભટ્ટે કાવ્યાનુશાસનમ્ રચ્યું હતું. આપણે આવા ગ્રંથકાર સુશ્રાવક ના હોઈએ તો વાંધો નથી. વાંધો એ છે કે આપણે કેમ પ્રાચીન ગ્રંથોનો ઇતિહાસ જાણતા નથી ? આ જમાનાની વાત લો. અરિહંતવંદનાવલિ અત્ર તત્ર સર્વત્ર ગવાય છે. તેના કર્તા શ્રીચંદ્ર. ચંદુલાલ શાહ, તેમણે પ્રાકૃતભાષામાં અરિહંતનું વર્ણન વાંચ્યું. રોમાંચિત થયા. એક હાથે ઊતરી આવી અરિહંતવંદનાવલિ. રત્નાકરપચ્ચીસી તો સંસ્કૃતમાં છે. આપણે ગાઈએ છીએ તે ગુજરાતી અનુવાદ છે. તેના કર્તા છે શામજીભાઈ માસ્તર. આ ચંદુભાઈ પ્રાકૃતમાં અને શામજીભાઈ સંસ્કૃતમાં ઊંડા ઊતર્યા હતા. તો વંદના અને પચીસી મળી. આપણે ક્યાં છીએ ? ઊંડા ઊતરવાની વાત તો જવા દો. કાંઠે છબછબ પણ નથી કરતા. આજકાલ ટોળાબંધ નીકળી આવેલાં છાપાંઓનાં જોરે ધર્મનો બોધ નક્કર રીતે વધવાનો નથી. પ્રચારમાધ્યમનાં આ મુખપત્રો આપણને ટેકો આપશે. પ્રગતિ તો શાસ્ત્રોના અભ્યાસ દ્વારા જ થવાની. જીવવિજ્ઞાનનું વ્યાપક વિશ્વ અતાગ છે. વરસો ગુજારવાં પડશે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને ઝાંખો પાડી દે તેવું સૂક્ષ્મ વિશ્લેષણ છે આપણાં શાસ્ત્રોમાં. જનમ, જીવન અને મરણની ઝીણામાં ઝીણી વિગતો દરેક જીવો અનહદની આરતી માટેની અલગ અલગ નોંધાયેલી છે. તેમની ચેતનાનું અને વેદનાનું સ્તર પણ પ્રસ્તુત થઈ ચૂક્યું છે. અહિંસા અને અભયદાનના અનંત સીમાડા દાખવતાં જીવવિજ્ઞાનનાં શાસ્ત્રો કેટલા ભણ્યા છીએ આપણે ? કર્મવિજ્ઞાન. આત્માની રજેરજનો ઇતિહાસ લખનારા કર્મો શું છે તેનું તો એવું ઝીણવટભર્યું વિવરણ કર્યું છે. શાસ્ત્રકારોએ, કે એ વાંચીએ તો આંખો ફાટી જાય. હરઘડી અને હરપળ કર્મોનું આક્રમણ આત્મા પર જારી જ રહેવાનું છે. કર્મ કેવું બંધાય ? કોને લીધે બંધાય ? ઉદયમાં કંઈ રીતે આવે ? ભોગવાય કંઈ રીતે ? પુરું શી રીતે થાય ? તેના પ્રકારો કેમ કરીને જુદા પડે છે? તેનો બોધ ભર્યો છે કર્મશાસ્ત્રોમાં. જિંદગી ઓછી પડે એટલો ખજાનો છે. લૂંટવાનું ગજું હોવું જોઈએ. સપ્તભંગી અને સ્ટાદ્વાદ, તર્કબદ્ધ રજૂઆત અને સંપૂર્ણ પ્રામાણિક વચન. વસ્તુના સ્વભાવનું પારદર્શી વિવેચન. સપ્ત નયની અડાબીડ સૃષ્ટિ. નિશ્ચય અને વ્યવહારના અનોખા નિયમો. પ્રભુનાં કેવળજ્ઞાનનો આ વારસો બુદ્ધિમત્તા વિના ઝીલી શકાતો નથી અને પુરુષાર્થ વિના તે ગળાથી નીચે ઊતરતો નથી. જીવવિજ્ઞાન, કર્મવિજ્ઞાન અને સાદ્વાદને સમજીએ તે પછીનું ભણતર શું હોઈ શકે ? આધુનિક વિજ્ઞાન અને તર્કશાસ્ત્ર અને મનોવિજ્ઞાન આપણા ધર્મસમક્ષ જે પ્રશ્નો મૂકે છે, પડકાર ફેંકે છે તેના જવાબ ખોળવા જોઈએ. આપણે જાતે જ લડત આપી શકીએ તેવી તાકાત હોવી જોઈએ. ભણતરમાં મયણા સુંદરી માટે શ્રીપાળ રાજાના રાસમાં લખ્યું છે કે તે નવતત્ત્વની સુ-જાણ હતી. આપણે સુ-જાણ ન થઈ શકીએ તો કમસેકમ જાણકાર તો બનીએ જ. અર્થનું ઉપાર્જન અને ઐહિક આનંદપ્રમોદ, આમાં મનનું રોકાણ કરી રાખ્યું છે. આપણે. વિષયની લાલસા સતત પુનરાવર્તન દ્વારા એષણાઓનો નશો ગાઢ બનાવી રાખે છે. ધર્મબોધની દિશામાં એકાદ પગલું ભરીને આપણે સંતુષ્ટ બની જઈએ છીએ. તો પૈસામાં દરેક પગલે અસંતોષ વધે છે. ધર્મનાં ભણતરમાં નવું શીખવાનો સમય નથી અને ઘરમાં દર વર્ષે નવાં ફર્નિચર અને નવી વાનગી અને નવાં કપડાં આવ્યા જ કરે છે.
SR No.009087
Book TitleAnahadani Arti
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2006
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy